બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Vishal Khamar
Last Updated: 11:32 AM, 24 March 2024
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદવાસીઓને અપીલ કરી છે કે, હોળીનાં પવિત્ર તહેવારનાં દિવસે સામાન્યતઃ શહેરનાં નાગરિકો દ્વારા રસ્તા પર હોળી પ્રગટાવવામાં આવે છે. જેના કારણે રસ્તાને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. રસ્તા ઉપર ડામરવાળા ભાગમાં હોલી પ્રગટાવવાથી ડામરની ઉપરની સપાટી ખરાબ થાય છે. જેને કારણે ચોમાસાની ઋતુમાં પાણી અંદર ઉતરવાની શક્યતાઓ વધી જાય છે. તેમજ સપાટી ખરાબ થતી હોવાથી વાહન વ્યવહારને પસાર થવામાં મુશ્કેલીઓ સર્જાય છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરી
રોડને થતું નુકશાન અટકાવવા હોળી પ્રગટાવવા માટે રસ્તાની ઉપર પ્રથમ ઈંટો ગોઠવીને તેના ઉપર રેતી પાથરી તેની પર હોળી પ્રગટાવવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
રસ્તાને નુકશાન થતું નિવારવે કેવી રીતે હોળી પ્રગટાવશો
તેમજ હોળી રસ્તાની વચ્ચોવચ ના પ્રગટાવતા, રસ્તાની એક બાજુ ઈંટો ગોઠવી તેના ઉપર રેતી પાથરી તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે તે રસ્તાને થતું નુકશાન નિવારી શકાય.
હોળીના તહેવાર નિમિતે અ.મ્યુ.કો.દ્વારા આપવામાં આવેલ જાહેર નોટિસનું અમલીકરણ (ડામર રોડ ઉપર ઈન્ટનું લેયર તૈયાર કરી તેના ઉપર રેતીનું લેયર બનાવી હોળી માટે સામગ્રી ગોઠવીને પ્રગટાવવા) કરવા નમ્ર અપીલ છે.#AMC #amcforpeople #appeal #NOTICE #Holi #Ahmedabad #municipalcorporation pic.twitter.com/hHVqr4AjGH
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 24, 2024
વધુ વાંચોઃ ગુજરાતમાં અહીં હોળીના સમયે દેશી ઢોલનું થાય છે ધૂમ વેચાણ, દાંડીના તાલે નૃત્યની પરંપરા
હોળી ક્યાં નહી પ્રગટાવવી
તેમજ હોળી ઝાડની નીચે નહી પ્રગટાવતા અન્ય જગ્યા ઉપર પ્રગટાવવામાં આવે તો ઝાડ ઉપર રહેતા પક્ષીઓને થતું નુકશાન અટકાવી શકાય. તેમજ અકસ્માત નિવારણ હેતુથી હોળી ઈલેક્ટ્રીક તથા અન્ય કેબલની ઓવરહેટ લાઈનની નીચે નહી પ્રગટાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime