બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:55 AM, 21 October 2025
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં થનારા ફેરફારો અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે હાલ લા નીનોની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે હવામાનમાં મોટાપાયે પરિવર્તન જોવા મળી શકે છે.
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં ચક્રાવાતની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે 18થી 21 ઑક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચાલ જોવા મળશે. આ હલચાલ ચક્રાવાતમાં ફેરવાઈ શકે તેવી શક્યતા પણ છે. સાથે જ બંગાળના ઉપસાગરમાં પણ આગામી દિવસોમાં મોટું વાવાઝોડું સર્જાઈ શકે છે.
ADVERTISEMENT

દક્ષિણ ભારતમાં ભારે વરસાદ
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે 7 થી 11 નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન ભેજવાળું રહેશે.
આ પણ વાંચોઃ ‘હું કોઈ પ્રેમનો વિરોધી નથી, સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાના પણ..': નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ADVERTISEMENT
ઠંડીમાં વધારો
અંબાલાલ પટેલે આગળ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થવાનો છે. ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. વાવાઝોડાની અસરથી ઠંડી ઉછી જણાશે, અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.