બ્રેકિંગ ન્યુઝ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
Dinesh
Last Updated: 05:48 PM, 27 December 2022
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના ધોરાજીથી ભોળા ગામ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે રસ્તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે ગામમાં ઇમર્જન્સી વાહન અને સ્કૂલ વાહન પણ જઈ શકતા નથી અને RNB વિભાગના અધિકારી રસ્તા રીપેરીંગની કામગીરીમાં ધ્યાન આપતા નથી તેવું સ્થાનિકોનો આક્ષેપ છે
ADVERTISEMENT
જેતપુર-મેવાસા સુધીના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
ધોરાજીથી ભોળા છળાવદર ભલગામડા તરફ જતો રસ્તો એટલી હદે બિમાર છે કે અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે હલાતીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી પસાર થતા વાહન ચાલકોની વ્યથા છે કે પાંચ વર્ષ પેહલા ચોમાસાના ભારે વરસાદને કારણે અહીંના રસ્તાનું ધોવાણ થયું છે રસ્તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તોએ સમજવું મુશ્કેલ બન્યું છે અહીંથી નીકળતા વાહન ચાલકોનું કહેવું છે કે રસ્તા પર ડામરની ઉખડી ગયેલ કાકરીઓ અને રસ્તા પર પડેલા મસ મોટા ખાડાને કારણે છાશવારે અકસ્માતનો ભય રહે છે અને વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે અને વાહનમાં મેન્ટેનન્સ પણ વધી રહ્યું છે
રોડ બન્યાના એક મહિનામાં રોડ બન્યો બિસ્માર
સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીથી ભોળા ભલગામડા અને છાડવાવદર સુધીનો રસ્તો એટલી હદે બિસ્માર છે કે ધોરાજીથી આવવા જવામાં જે રસ્તો 10 મિનિટમાં પસાર થવો જોઈએ તે રસ્તો પસાર કરતા 40 મિનિટથી વધુનો સમય લાગે છે અને અહીંયા કોઈ દર્દી બીમાર પડે તો ઇમરજન્સી વાહન આવી શકતું નથી એમ્બ્યુલન્સ અને 108 જેવી ઇમરજન્સી સેવા પણ અહીંયા ગામ સુધી સમયસર પહોંચી શકતી નથી જેના કારણે દર્દીઓને પણ પરેશાની ભોગવવાનો વારો આવે છે છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.