બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dharmishtha
Last Updated: 09:55 AM, 30 October 2021
રસીના ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે
વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોએ સતર્ક રહેવાની જરુર છે. ધ લાસેન્ટ તરફથી કરવામાં આવેલી શોધમાં ખબર પડી છે કે કોરોનાની રસીના ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. એટલું જ નહીં આવા લોકોથી પરિવારના અન્યોને સંક્રમિત કરવાનું સંકટ 38 ટકા છે.
રસી સંપૂર્ણ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે
શોધમાં જોવા મળ્યું છે કે લંડન અને બોલ્ટનમાં સપ્ટેમ્બર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી કુલ 440 પરિવારોનો પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો. શોધમાં જોવા મળ્યું કે કોરોનાના બે ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોના સંક્રમિત થવાની આશંકા ઘણી ઓછી થઈ રહી છે પરંતુ સંપૂર્ણ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. શોધ સાથે જોડાયેલા ઈમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર અજિત લાલવાનીએ કહ્યું બન્ને ડોઝ લેનારાને પણ સંક્રમણ થઈ રહ્યું છે. તેવામાં જ્યાં સુધી દરેકને રસી ન લાગી જાય ત્યાં સુધી કોરોનાનું સંકટ બનેલું રહેશે.
કોરોનાની ગાઈડલાઈન પાળવી પડશે
સહ શોધકર્તા ડો. અનિકા સિંગાનયાગમ કહે છે કે આ શોધમાં સ્પષ્ટ થઈ ગયું છે કે જો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી વધી રહ્યો છે. દુનિયાની મોટી વસ્તી હજું પણ રસીથી દૂર છે. જે દેશોમાં ફ્રી રસી લગાવાઈ રહી છે. ત્યાં લોકો આગળ નથી આવી રહ્યા. તેવામાં કોરોનાનો ખતરો ઓછા જરુર થયો છે પરંતુ ખતમ નથી થયો. ત્યાં કોરોનાની ગાઈડલાઈન પાળવી પડશે.
મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત 6 રાજ્યોમાં પહોંચ્યો નવો વેરિએન્ટ
દુનિયાના કેટલાક દેશોમાં હજું પણ કોરોના વાયરસના કારણે સ્થિતિ ખરાબ છે. જ્યારે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા છે કેમ કે 6 રાજ્યોમાં નવો વેરિએન્ટ AY.4.2 પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. કેરળ, જમ્મુ કાશ્મીર અને તેલંગાના સામેલ છે. વિશેષજ્ઞોના જણાવ્યાનુસાર આ નવા વેરિએન્ટની તપાસ ચાલી રહી છે. તેમનું કહેવું છે કે આ નવો વેરિએન્ટ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ગ્રુપથી છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના મામલામાં એક વાર ફરી સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 1482 નવા કેસ સામે આવ્યા છે. આના કારણે 38 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime