બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / Akshay Kumar appeals fans to donate for ayodhya ram mandir

અપીલ / અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને અપીલ કરી કહ્યું: હવે આપણો વારો છે, જય સિયારામ

Published By: Shalin

Last Updated: 07:44 PM, 17 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર માટે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે દાન આપ્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

અક્ષય કુમારે ચાહકો અને અનુયાયીઓને અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિર માટે દાન આપવા અપીલ કરી છે. તેમણે રામાયણથી સંબંધિત એક વિશેષ વાર્તા સંભળાવી અને લોકોને દાન માટે પ્રેરણા આપી. તમને જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણ માટે નાણાં એકત્રિત કરવાની ઝુંબેશ ચાલી રહી છે. 

પોસ્ટ શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું: "બહુ આનંદ છે કે શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં શરૂ થયું છે. હવે આપણે ફાળો આપવાનો વારો છે. મેં શરૂઆત કરી છે, આશા છે કે તમે પણ સાથે જોડાશો. જય સિયારામ..."

બોલિવૂડ સુપરસ્ટારે રામ સેતુ સાથે જોડાયેલી એક વાર્તા જણાવી. તેણે કહ્યું, "ગઈકાલે રાત્રે હું મારી દીકરીને એક વાર્તા કહી રહ્યો હતો. તમે પણ સાંભળજો. એવું હતું કે એક તરફ વાંદરાઓની સેના હતી અને બીજી બાજુ લંકા અને બંને વચ્ચે મહાસાગર. હવે વાંદરાની સેના મોટા પથ્થરો લઈને દરિયામાં તરતા મૂકી રહી હતી. રામ સેતુ બનાવીને સીતા મૈયાને પરત લાવવાના હતા."

અક્ષય કુમારે કહ્યું કે પ્રભુ શ્રીરામ કિનારા પરની તમામ વસ્તુને જોઈ રહ્યા હતા. તેમની નજર એક ખિસકોલી પર પડી. ખિસકોલી પાણીમાં જતી, તે પછી કાંઠે આવતી, રેતીમાં આળોટતી, પછી દોડીને રામ સેતુના પથ્થરો તરફ દોડી જતી, ફરી પાણીમાં, પછી રેતીમાં, પછી પથ્થરો તરફ જતી. 

રામજીને આશ્ચર્ય થયું કે આ શું થઇ રહ્યું છે તો તેઓ ખિસકોલી પાસે ગયા, અને પૂછ્યું- તું શું કરે છે? ખિસકોલીએ જવાબ આપ્યો- મેં મારું શરીર ભીનું કર્યું, તેના પર રેતી લપેટી અને પથ્થરો વચ્ચેની તિરાડો ભરી. હું પણ રામ સેતુના નિર્માણમાં નાનો ફાળો આપી રહી છું.

અક્ષય કુમારે કહ્યું. "આજે આપણો વારો છે. અયોધ્યામાં આપણા શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું છે. આપણામાંના કેટલાક વાંદરા બને, કેટલાક ખિસકોલી બને અને ઐતિહાસિક ભવ્ય રામ મંદિર નિર્માણમાં ભાગીદાર બનવા તેમની ક્ષમતા અનુસાર ફાળો આપે. 

હું મારી જાતથી શરૂ કરું છું, મને ખાતરી છે કે તમે પણ મારી સાથે જોડાશો જેથી આવનારી પેઢીઓને આ ભવ્ય મંદિર મર્યાદા પુરુષોત્તમ રામના જીવન અને સંદેશને અનુસરવાની પ્રેરણા આપશે. જય શ્રી રામ.

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar ram mandir ram setu અક્ષય કુમાર રામ મંદિર રામ સેતુ Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ