બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્રેશના 6 દિવસ બાદ અમદાવાદથી લંડન જતી AIની બીજી ફ્લાઈટને અપશુકન, 'હેરાનીભર્યું' બનતાં કેન્સલ કરાઈ
Last Updated: 01:31 PM, 17 June 2025
12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી જેમાં 279થી વધુ પ્રવાસીઓના મોત થયાં હતા. હવે દુર્ઘટનાના 6 દિવસ બાદ ફરી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટને અપશુકન થયાં છે. ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. સાંજે 6.25 વાગ્યે તે લંડન પહોંચવાની હતી.
ADVERTISEMENT
#WATCH | Ahmedabad | Passengers of Air India flight AI-159 from Ahmedabad to London, Gatwick say the flight has been suddenly cancelled
— ANI (@ANI) June 17, 2025
An AI-159 flight passenger says, "I was going to Gatwick, London, by the 1 p.m. Air India flight, but I have just learned that the flight has… pic.twitter.com/XnKUWOMWhI
ક્રેશ થયેલા વિમાનના રુટ પર જ હતી AI-159 ફ્લાઈટ
ADVERTISEMENT
આ ફ્લાઈટ 279 પ્રવાસીઓનો ભોગ લેનારી એર ઈન્ડિયાની AI-159 ફ્લાઈટના રુટ પર હતી પરંતુ છેલ્લી ઘડીએ ટેક્નીકલ ખામી સર્જાતાં તેને કેન્સલ કરી દેવાઈ હતી.
નિયમિત તપાસમાં ખામી જણાતાં ફ્લાઈટ રદ
ADVERTISEMENT
એવું જાણવા મળ્યું છે કે નિયમિત તપાસ દરમિયાન આ ખામી શોધી કાઢવામાં આવી હતી, જેના કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી. જોકે, છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાથી લંડન જનારા ઘણા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા, જેના કારણે નોંધપાત્ર અસુવિધા થઈ હતી.
#BREAKING: Air India flight AI 159 from Ahmedabad to London, scheduled to depart at 1:10 PM, was cancelled before takeoff due to a technical snag. Over 200 passengers were affected by the cancellation pic.twitter.com/E6ucB680tT
— IANS (@ians_india) June 17, 2025
ADVERTISEMENT
બીજી વાર એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અમદાવાદ-લંડન એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવાની આ બીજી ઘટના છે. 14 જૂનના રોજ અગાઉની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશમાં આ ક્રિકેટરનું પણ અવસાન, ક્રિકેટ જગતમાં શોકની લહેર, લંડન જતો હતો
પ્લેન ક્રેશમાં 279 લોકોના મોત
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશ એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ભયાનક પ્લેન ક્રેશમાંનો એક છે. 12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પ્લેન અકસ્માતનો ભોગ બન્યું અને એરપોર્ટ નજીક એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું. આ અકસ્માતને કારણે, પ્લેનના આગળના ભાગને જ નુકસાન થયું નહીં, પરંતુ મેડિકલ હોસ્ટેલને પણ ઘણું નુકસાન થયું. આ દુ:ખદ અકસ્માતમાં 279 લોકોએ જીવ ગુમાવ્યા. પ્લેનમાં સવાર 242 લોકોમાંથી, આ પ્લેન ક્રેશમાં 241 લોકો મૃત્યુ પામ્યા અને જે મેડિકલ હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું તેના 38 લોકોએ પણ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ કોઈક રીતે બચી શક્યો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.