બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 24 June 2025
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. ક્રેશ થયેલા એર ઇન્ડિયાના પ્લૅન બ્લેક બોક્સને ડીકોડ કરવાથી માહિતી મળશે. રામ મોહન નાયડુએ કહ્યું કે બ્લેક બોક્સમાંથી ડેટા ક્યારે ઉપલબ્ધ થશે તે એક ટેકનિકલ બાબત છે.તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરવામાં આવી છે. સરકારે આ ઘટના પછી કહ્યું હતું કે બ્લેક બોક્સને ડીકોડ કરવાથી અકસ્માત પહેલા શું થયું હતું તેની ઊંડાણપૂર્વકની માહિતી મળશે.
ADVERTISEMENT

તાજેતરમાં,મંત્રાલયે આવી અટકળો ન કરવા અપીલ કરી હતી. મંત્રાલયે કહ્યું કે સમગ્ર તપાસ પ્રક્રિયા ટેકનિકલ રીતે કરવામાં આવશે. આ વિમાન દુર્ઘટનાથી દેશ અને દુનિયાને દુઃખ થયું છે. બ્લેક બોક્સની તપાસ ચાલુ છે. આ તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે વિમાનનું બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે નહીં.રામ મોહન નાયડુએ બધી અટકળોને ફગાવી દીધી છે.નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે નહીં. પ્લૅનનું બ્લેક બોક્સ ભારતમાં જ છે અને AAIB દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી, એર ઈન્ડિયાનું પ્લૅન મેડિકલ હોસ્ટેલના પરિસરમાં ક્રેશ થયું.આ ભયાનક અકસ્માતમાં 241 લોકો સવાર હતા, 270 લોકોએ જીવ ગુમાવ્યા.અને ફક્ત એક જ મુસાફર બચી ગયો.

ADVERTISEMENT
13 જૂનના રોજ પ્લૅનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું.બ્લેક બોક્સ એક એવું ઉપકરણ છે જેના દ્વારા પ્લૅન દુર્ઘટના પહેલા શું થયું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે પ્લૅન વિશે માહિતી પૂરી પાડે છે.તે ટેક્નિકલ માહિતી એકત્રિત કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : ભારતમાં બુલેટ ટ્રેનની ગતિ કેમ ધીમી પડી ? ચીન છે કારણ, ક્યાં અટક્યું છે કામ ? જાણો અહીં
ADVERTISEMENT
બ્લેક બોક્સને ડીકોડ કરવાથી માહિતી મળશે'
રામ મોહન નાયડુએ કહ્યું કે બ્લેક બોક્સમાંથી ડેટા ક્યારે ઉપલબ્ધ થશે તે એક ટેકનિકલ બાબત છે.તપાસ માટે એકહાઇ લેવલ પેનલની રચના કરવામાં આવી છે. સરકારે ઘટના પછી કહ્યું હતું કે બ્લેક બોક્સને ડીકોડ કરવાથી અકસ્માત પહેલા શું થયું હતું તેની ઊંડાણપૂર્વકની માહિતી મળશે.
ADVERTISEMENT
તાજેતરમાં,મંત્રાલયે આવી અટકળો ન કરવા અપીલ કરી હતી મંત્રાલયે કહ્યું કે સમગ્ર તપાસ પ્રક્રિયા ટેકનિકલ રીતે કરવામાં આવશે.આ વિમાન દુર્ઘટનાથી દેશ અને દુનિયાને દુઃખ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.