બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:34 PM, 31 July 2026
શહેરમાં ગત સપ્તાહે ધોધમાર વરસાદ બાદ ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યાં છે, પરંતુ હવે સૌથી મોટો ખતરો દૂષિત પીવાનાં પાણીથી ફેલાતા રોગનો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, બોરવેલ અને પાણીની ટાંકીઓમાં ગંદું પાણી ભળવાની સંભાવનાને કારણે આગામી દિવસોમાં હિપેટાઈટિસ-એ અને હિપેટાઈટિસ-ઈના કેસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તેવી ચેતવણી ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ્સે આપી છે.
ADVERTISEMENT

તબીબોએ ખાસ કરીને વેજલપુર, આંબલી, બોપલ, ઘુમા, શેલા અને સાણંદ સહિત ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોના લોકોને પીવાનાં પાણી અંગે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે. ટોચના ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટના જણાવ્યા મુજબ દર ચોમાસામાં હિપેટાઈટિસ-એ અને ઈના કેસમાં સરેરાશ ૩૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ દૂષિત પીવાનું પાણી, અસ્વચ્છ ખોરાક તેમજ રસ્તા કિનારાનાં ખાણીપીણીનાં સ્ટોલ છે. હાલની પૂરની સ્થિતિના કારણે જો પાણીનું પ્રદૂષણ નિયંત્રિત નહીં થાય તો આ વર્ષે કેસમાં સામાન્ય કરતાં પણ વધુ વધારો થઈ શકે છે. આગામી ૧૦થી ૧૫ દિવસમાં તેની અસર સ્પષ્ટ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
તબીબો જણાવે છે કે બોપલ, શેલા, ઘુમા અને સાણંદ જેવા વિસ્તારોમાં હજુ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલાં હોવાથી દૂષિત પાણીનો ખતરો વધુ છે. નિષ્ણાતો લોકોને સલાહ પીવાનું પાણી ઉકાળીને અથવા યોગ્ય રીતે ફિલ્ટર કે ટ્રીટમેન્ટ કર્યા પછી જ ઉપયોગમાં લેવાનું ભારપૂર્વક જણાવે છે, કારણ કે વરસાદી પાણી ઘણી વખત ગટર સાથે ભળી જતું હોય છે. તાવ, ઊલટી, કમળો અથવા ઘાટા પીળા રંગનો પેશાબ જેવાં લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર તબીબી સારવાર લેવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો : બહેને જ બહેનને લૂંટી! ડોર લોકનો કોડ મેળવી 50 લાખના દાગીના ચોર્યા, ચોંકાવનારી કબૂલાત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.