બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ચોર પંચકનો પ્રારંભ! ધનહાનિ અને નુકસાનથી બચવા 5 દિવસ રાખો ખાસ સાવચેતી

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / ચોર પંચકનો પ્રારંભ! ધનહાનિ અને નુકસાનથી બચવા 5 દિવસ રાખો ખાસ સાવચેતી

Last Updated: 11:33 AM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Chor Panchak 2026: પંચક એ 5 દિવસનો અશુભ સમયગાળો છે, જે દરમિયાન શુભ કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે. આજે શરૂ થતા 'ચોર પંચક'ને વિશેષ રૂપે જોખમી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ચોરી, આર્થિક નુકસાન અને વ્યવસાયમાં અવરોધો આવવાનું જોખમ વધી જાય છે.

1/5

photoStories-logo

1. ચંદ્રમા વિશેષ નક્ષત્રોમાંથી થશે પસાર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચંદ્રમાના વિશેષ નક્ષત્રોમાંથી પસાર થાય છે ત્યારે પંચકનો યોગ રચાય છે. ચોર પંચક દરમિયાન નવો વ્યવસાય, રોકાણ કરવાનું, મુસાફરી કરવાનું કે શુભ પ્રસંગો કે વિધિઓ કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, આર્થિક વ્યવહારોમાં પણ સાવચેતી રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સનાતન ધર્મમાં પંચકનું મહત્વ

સનાતન ધર્મમાં, પંચકને અત્યંત સંવેદનશીલ અને સાવચેતી રાખવાની જરૂરિયાતવાળો સમયગાળો માનવામાં આવે છે. તેને પાંચ દિવસનો અશુભ સમયગાળો ગણવામાં આવે છે, જે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તેવી માન્યતા છે. 'દ્રિક પંચાંગ' અનુસાર, પંચકનો પ્રારંભ આજે સવારે 6.38 વાગ્યે થયો છે. આજે શુક્રવાર હોવાથી આ ચોક્કસ સમયગાળાને 'ચોર પંચક' તરીકે ઓળખવામાં આવે છે. પંચકનો આ તબક્કો 4 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ચંદ્ર ગોચર સાથે સંબંધ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર,'પંચક' તરીકે ઓળખાતો અશુભ સમયગાળો ચંદ્રના ગોચર સાથે સંકળાયેલો છે. માનવામાં આવે છે કે જ્યારે ચંદ્ર પાંચ ચોક્કસ નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી માંથી પસાર થાય છે ત્યારે પંચકનો સમયગાળો શરૂ થાય છે. આ પાંચ નક્ષત્રો કુંભ અને મીન રાશિ હેઠળ આવે છે. 'ચોર પંચક'ને વિશેષ રૂપે જોખમી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચોર પંચકમાં રાખો આ સાવધાની

જ્યોતિષીય માન્યતા અનુસાર, 'ચોર પંચક' દરમિયાન ચોરી, આર્થિક નુકસાન અને વ્યવસાયમાં અવરોધો આવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. તેથી, આ સમયગાળા દરમિયાન ઘર, દુકાન અને વ્યવસાયને લગતી બાબતોમાં વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ચોર પંચક દરમિયાન ઉતાવળમાં આર્થિક વ્યવહારો કરવાનું ટાળવું જોઈએ અને વેપારીઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ મોટી ડિલ અંગેના નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને જ લે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અગામી 5 દિવસ ના કરો આ કામ

(1) 'ચોર પંચક' દરમિયાન નવો વ્યવસાય કે સાહસ શરૂ ન કરો. આ સમયે નવો વ્યવસાય શરૂ કરવાથી નફાને બદલે નુકસાન થઈ શકે છે. (2) સ્થાવર મિલકત ખરીદવાનું કે શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળો. આ સમયગાળા દરમિયાન કરેલા રોકાણથી આર્થિક નુકસાન થઈ શકે છે. (3) 'ચોર પંચક' દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી ન કરો. આ દિશામાં મુસાફરી કરવાથી મુશ્કેલીઓ આવી શકે છે. (4) પંચક કાળ દરમિયાન ભૂલથી પણ લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન સંસ્કાર કે અન્ય કોઈ શુભ કાર્યો ન કરવા. (5) 'ચોર પંચક' દરમિયાન લોખંડની વસ્તુઓ કે કપડાં ખરીદવાનું ટાળવું. (6) જ્વલનશીલ પદાર્થોની ખરીદી કે સંગ્રહ કરવાનું ટાળવું.પંચક કાળ દરમિયાન નાણાકીય વ્યવહારો કરવા નહીં.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Chor panchak 2026 dates precautions rules avoid inauspicious period
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ