બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની ૩૮૨ ઐતિહાસિક ઈમારતોને હેરિટેજ દરજ્જો આપવાની AMCની તૈયારી
Last Updated: 03:09 PM, 22 August 2026
૧૨ વર્ષના વિલંબ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) કોટ વિસ્તાર એટલે કે જૂના શહેરની બહાર આવેલી ૩૮૨ ઐતિહાસિક ઈમારતો અને સ્થળોને હેરિટેજ દરજ્જો આપવાની દિશામાં આગળ વધ્યું છે. તેમાં હઠીસિંહના દેરાં (જૈન દેરાસર), ફતેહબાગ પેલેસ, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત કોલેજ, સર્કિટ હાઉસ અને વાડજની વાવ સહિતની ઐતિહાસિક ધરોહરનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ ૩૮૨ મિલકતોને હેરિટેજ દરજ્જો આપવાની દરખાસ્ત ૨૪ ઓગસ્ટે હેરિટેજ એન્ડ રિક્રિએશન કમિટીની બેઠકમાં રજૂ થશે. મંજરી મળ્યા બાદ એએમસીની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જાહેર જનતા પાસેથી વાધા અને સૂચનો મગાવશે અને ત્યાર બાદ અંતિમ યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
એએમસીએ ડિસેમ્બર, ૨૦૧૪માં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ને શહેરના બહારના વિસ્તારોમાં આવેલી ઐતિહાસિક ઈમારતોનો વ્યાપક સર્વે કરવાની કામગીરી સોંપી હતી. સર્વેમાં કુલ ૮૬૧ ઐતિહાસિક ઈમારતોની ઓળખ થઈ હતી, જેમાંથી ૩૮૨ને પસંદ કરી તેમની શ્રેણી નક્કી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
હેરિટેજ દરજ્જો મળ્યા બાદ આ માળખાને તોડી પાડવાની મંજૂરી રહેશે નહીં. મિલકત માલિકોને જાળવણી અને સંરક્ષણમાં મદદરૂપ થવા એએમસી દ્વારા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆ) જેવા લાભ પણ આપવામાં આવશે.
૩૮૨ ઈમારતોને તેમની સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વના આધારે ચાર શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે:
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજુલાના શ્રદ્ધાળુએ અર્પણ કરી અંબાજી મંદિરને ચાંદીની પાદુકા, જાણો કેટલી છે કિંમત ?
ADVERTISEMENT
૨૦૧૪ના અહેવાલમાં આ માળખાંની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરાયું હતું. તે મુજબ ૧૮ ટકા સારી સ્થિતિમાં, ૩૭ ટકા સંતોષકારક સ્થિતિમાં, ૨૫ ટકામાં ખરાબ થઈ હોવાનાં સંકેતો, ૧૫ ટકા ગંભીર રીતે ખરાબની સ્થિતિમાં અને પાંચ ટકા તો સાવ લુપ્ત થવાના આરે હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.