બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad: 24 people, including women cricketers, took the path of worldly abandonment

દીક્ષા સમારોહ / અમદાવાદઃ મહિલા ક્રિકેટર સહિત 24 લોકોએ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવ્યો

Published By: Ravi

Last Updated: 03:45 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલડી રિવરફ્રન્ટ પર આજે વસંતપંચમીના શુભ દિવસે આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ નવ આચાર્ય ભગવંતોની તથા સાધુ–સાધ્વીજીની નિશ્રામાં દીક્ષા મહોત્સવ યોજાયો છે. ગઈ કાલે યોજાયેલી  વર્ષીદાન યાત્રા બાદ  ઉપકરણના ચઢાવા, દીક્ષાર્થીઓનું પરિવાર સાથે શાહી વાયણું યોજાયું હતું અને  દીક્ષાર્થીઓનો વિદાય સમારોહ બાદ આજે  એક સાથે ૨૪  મુમુક્ષુઓએ સંયમમાર્ગનો સ્વીકાર કર્યો છે. જેમાં અમદાવાદનાં પાંચ મુમુક્ષુનો સમાવેશ થાય છે. આજે વહેલી સવારે શુભ સમયે તમામ દીક્ષાર્થીઓને દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. જ્યારે આગામી ૧૬ ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં અન્ય છ મુમુક્ષુઓ દીક્ષા લેશે.

  • મહિલા ક્રિકેટર સહિત 24 લોકોએ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવ્યો 
  • આજે વહેલી સવારે શુભ સમયે તમામ દીક્ષાર્થીઓને દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી
  • ૧૧ વર્ષીય હનીકુમારી અને ૧૬ વર્ષીય હાસ્યકુમાર અને ૨૨ વર્ષીય આશિતાબહેન દીક્ષા ગ્રહણ કરશે

આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ–સાધ્વી ભગવંતોની નિશ્રામાં યોજાઈ રહેલા આ દીક્ષા મહોત્સવમાં ૧.૮૦ લાખ સ્ક્વેર ફિટ એરિયામાં દીક્ષા મંડપ ઊભો કરાયો છે. આજે બપોરે ૨.૩૦ કલાકે પ્રભુના દીક્ષા કલ્યાણની ઉજવણી અને રાતે જિનબિંબોની અધિવાસના તથા અંજનની માંગલિક વિધિ યોજાશે.

 

મુંબઈમાં રહી ગ્રેજ્યુએશન કરવાની સાથે આઠ દેશ સામે મહિલા ક્રિકેટમાં મીડિયમ પેસર તરીકે રમી બે વાર હેટ્રિક મેળવનાર અંડર ૧૯માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ક્રિકેટર ૩૨ વર્ષીય ઉષ્મા મંડલેચાએ આજે  દીક્ષા ગ્રહણ કરીને  સંયમનો માર્ગ અપનાવ્યો છે. પોતાની ચાર દીકરીઓએ દીક્ષા લીધા બાદ મુંબઈના ૮૦ વર્ષીય રસીલાબેન દોશીએ  પણ આજે સંસાર ત્યાગ કરીને સંયમ ધર્મ અંગીકાર કરીને દીક્ષા લીધી છે.

આવતી કાલે ૩૧મી જાન્યુઆરીએ ત્રણ મુમુક્ષુઓની દીક્ષા ઋજુવાલિકા, પ્રીતમનગર યોજાશે

જ્યારે આવતી કાલે ૩૧મી જાન્યુઆરીએ ત્રણ મુમુક્ષુઓની દીક્ષા ઋજુવાલિકા, પ્રીતમનગર યોજાશે. જેમાં ૧૧ વર્ષીય હનીકુમારી અને ૧૬ વર્ષીય હાસ્યકુમાર અને ૨૨ વર્ષીય આશિતાબહેન દીક્ષા ગ્રહણ કરશે. ૧૨ ફેબ્રુઆરીએ CA મુમુક્ષુ હિતેનભાઈની દીક્ષા, ભગવાનનગરનો ટેકરો ખાતે યોજાશે. જયારે ૧૬ ફેબ્રુઆરીએ ૧૩ વર્ષીય મુમુક્ષુ જ્ઞાનકુમારની દીક્ષા, પંકજ જૈન સંઘ-પાલડી અને ૨૯ વર્ષીય મુમુક્ષુ કવિશકુમારની દીક્ષા, આંબાવાડી જૈન સંઘ-પાલડી ખાતે યોજાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Sabarmati Riverfront ahmedabad ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ