બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / After Sasha another cheetah named Uday has died in Kuno National Park
Kishor
Last Updated: 11:11 PM, 23 April 2023
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ઉદય નામના ચિત્તાનું મૃત્યુ નિપજતા શોક ફેલાયો છે. મહત્વનું છે કે તાજેતરમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. જેમાં ઉદયનો અસ્ત થયો છે. જેની પાછળ બીમારી જવાબદાર હોવાનું ગણવાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં બે ચિત્તા મૃત્યુ પામ્યા છે. ડોક્ટરની મહેનત પણ કામ ન લાગતા ચિંતામા વધારો થયો છે.
Another cheetah 'Uday' died in Kuno National Park due to unknown reason.
— CA Ashutosh Soni (@CA_AshutoshSoni) April 23, 2023
Seems like govt did not consulted experts before bringing them in foreign land.#KunoNationalPark pic.twitter.com/6DhLpFNTj1
ચિત્તાના મોત મામલે કુનો નેશનલ પાર્કના સતાવાળાઓ દ્વારા સતાવાર નિવેદન આપવામા આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ઉદય નામનો ચિત્ સવારથી જ સુસ્ત અવસ્થામા બેઠો હતો. જે નીચે માથું રાખીને બેઠો હતો નમેલી ગરદન સાથે ધ્રુજારી અનુભવતો હતો. જ્યારે પ્રોટોકોલ મુજબ, તે એક દિવસ પહેલા દરરોજ સવાર-સાંજ મોનિટરિંગ દરમિયાન સંપૂર્ણપણે સ્વસ્થ હતો. પરંતુ આજે તેની તબિયત સારી ન હતી. જે મામલે જાણ થતાની સાથે જ ચિત્તા પર દેખરેખ વધારી દીધી હતી. તથા તબીબો તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી તો તે બીમાર જણાયો.
સાંજે 4 વાગ્યે મોત નીપજ્યું
જેને લઈને મુખ્ય વન સંરક્ષકે ઉચ્ચકક્ષાએ ઉદયની પરિસ્થિતિ મામલે જાણ કરી હતી. આથી આદેશ છૂટયા બાદ ચિત્તા ઉદયને સવારે 11 વાગ્યે બેભાન કરી અને તાબડતોબ સ્થળ પર જ તેની સારવાર આરંભી દેવામાં આવી હતી. ચિત્તાની તબિયતને જોતા તેને સારવાર અને દેખરેખ માટે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આમ લાખ કોશિશ બાદ પણ ચિત્તા ઉદયનું સાંજે 4 વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું. જોકે હાલ મોતના સ્પષ્ટ કારણ મામલે પોસ્ટમોર્ટમ બાદ જાણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime