બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમ્યા પછી તરત પાણી પીવું ઝેર સમાન! આયુર્વેદ મૂજબ જાણો સાચો સમય
Last Updated: 05:24 PM, 11 June 2025
Water After Food Disadvantage: આયુર્વેદ મૂજબ, ભોજન પછી તરત પાણી પીવાથી જઠરાગ્નિ એટલે કે પાચનતંત્રની અગ્નિને ઠંડી પાડી દે છે. આ અગ્નિ જમવાનું પચાવવા માટે મહત્વપૂર્ણ છે. ચાણક્ય નીતિમાં પણ લખાયું છે કે 'अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम्. भोजने चाऽमृतम् वारि, भोजनान्ते विषप्रदम्' અર્થાત્, અજીર્ણમાં પાણી દવા સમાન છે, પાચન પછી પાણી પીવું શરીરને બળ આપે છે, પણ ભોજન પછી તરત પાણી પીવું ઝેર સમાન છે.
ADVERTISEMENT

જમ્યા પછી એક કલાક સુધી જઠરાગ્નિ ખોરાકનું પાચન કરે છે. જેથી ભોજન બાદ તુરંત પાણી પીવું જઠરાગ્નિને ઠંડી પાડે છે અને પાચનક્રિયાને નબળી બનાવે છે. જે રીતે સળગતી આગ પર પાણી છાંટીએ ત્યારે થાય છે એવું જ. પરિણામે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટમાં પડેલો ખોરાક સડવાથી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ સાથે પેટ પણ ભારે ભારે લાગે છે.
ADVERTISEMENT
શું કહે છે વિજ્ઞાન?
ભોજન પચાવવા માટે પેટ પાચકરસ (એસિડ) અને એન્જાઈમ્સ બનાવે છે, ત્યારે જો તમે તરત પાણી પીવો છો તો એ રસ પાતળો પડી જાય છે. તેનાથી પાચન પ્રક્રિયાને અવળી અસર થાય છે.
ADVERTISEMENT
પાણી પીવાનો સાચો સમય કયો?
ADVERTISEMENT
ભોજન પછી ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક પછી પાણી પીવું જોઈએ. ભોજન દરમ્યાન થોડું થોડું પાણી પીવાથી ખોરાક ગળવામાં અને પાચનમાં મદદરૂપ બને છે. ભોજન પછી તરત પાણી પીવાનું ટાળો. આ સરળ સુધારાથી તમે અનેક પાચન સંબંધિત રોગોથી બચી શકો છો. પ્રાચીન શાસ્ત્ર પણ એ જ કહે છે અને હવે વિજ્ઞાન પણ!

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.