બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Avoid These Five Foods To Get Relief From Acidity And Bloating

તમારા કામનું / વારંવાર એસિડિટી, ગેસ કે બ્લોટિંગ થતું હોય છે તો આજે જ બંધ કરી દો આ 5 પ્રકારના ફૂડનું સેવન

Pooja Khunti

Last Updated: 02:33 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Avoid These Foods: વધુ પડતું તળેલું, બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીનાં કારણે પેટનું ફૂલવું અને એસિડિટી જેવી અનેક સમસ્યાઓ થાય છે.

  • વધુ ઠંડો-ગરમ ખોરાક ખાવાનું ટાળો 
  • ગરમ મસાલાનાં સેવનથી એસિડિટી થઈ શકે 
  • પાણીનું સેવન ભરપૂર માત્રામાં કરો 

પેટનું ફૂલવું અને એસિડિટી જેવી પેટને લગતી અનેક સમસ્યાઓ વધુ પડતું તળેલું, બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીનાં કારણે થાય છે.  શિયાળાની ઋતુમાં વધુ ભૂખ લાગે છે જેથી લોકો વધુ ખાય છે. બહાર વધુ ઠંડી હોવાનાં કારણે લોકો ચાલવાનું પણ બંધ કરી દે છે. જેના કારણે લોકોનું પેટ ફૂલવા લાગે અને એસિડિટીની સમસ્યા પણ થાય છે.    

એસિડિટી અને ફૂલતા પેટથી રાહત મેળવવાં ટાળો આ 5 ખોરાક

વધુ ઠંડો-ગરમ ખોરાક ખાવાનું ટાળો 
અતિશય તાપમાનવાળા ખોરાકને ખાવાનું ટાળો.  જો તમે વધુ પડતો ઠંડો અથવા ગરમ ખોરાક ખાતા હશો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે.  આ પ્રકારનો ખોરાક જલ્દીથી પચતો નથી. જેના કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે. 

ચા-કોફી 
વધુ પડતી ચા, કોફી, ગ્રીન ટી, ઉકાળો અને કહવાનું સેવન ટાળો. આ પ્રકારનાં પીણાંમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે. જે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે. 

મસાલા 
જમવામાં વધુ પડતાં ગરમ મસાલા, જેમકે આદું, લસણ, તજ, ગરમ મસાલો, હળદરવાળું દૂધ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. ગરમ મસાલાનાં સેવનથી પેટમાં એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. 

એલર્જી 
ઘણાં માણસોને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોથી એલર્જી હોય છે. જો તમને પણ કોઈ ખાદ્ય પદાર્થથી એલર્જી હોય તો, તમારે તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. જેમકે દૂધ, રાજમા, કાળા ચણા, બ્રોકોલી અને શિમલા મિર્ચ.  

ભૂખ હોય એટલું જ જમવું 
ઘણાં લોકો, જમવાનું સ્વાદિષ્ટ હોય તો વધુ જમી લે છે. જો તમે પણ આવું કરતાં હોય તો પ્રયત્ન કરો કે તમને ભૂખ લાગી હોય, એટલું જ ખાવું.  વધુ પડતાં જમવાથી પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. 

આ બાબતોનું ધ્યાન રાખો 

ભોજનને સરખી રીતે ચાવીને ખાવ 
ભોજન કરી લીધાંનાં 30 મિનિટ બાદ અજમા, વરિયાળી અથવા જીરાનાં પાણીનું  સેવન કરવું 
પાણીનું સેવન ભરપૂર માત્રામાં કરો 
ભોજનની 30 મિનિટ પહેલાં લીંબુ પાણીનું સેવન કરવું  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ