બ્રેકિંગ ન્યુઝ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Last Updated: 10:23 PM, 30 April 2024
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. દેશમાં મોટાભાગના પરિવારો ઘરના આંગણામાં તુલસીના છોડને રોપવો શુભ માને છે. પૂજાપાઠ સિવાય તુલસીનો છોડ પણ લોકો માટે શુભ રહે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે. આયુર્વેદ અનુસાર સવારે નિયમિતપણે તુલસીના થોડાક પાન ચાવવાથી સ્વાસ્થ્યને લાભ મળી શકે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે. દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના છોડના તમામ ભાગો એડેપ્ટોજેન તરીકે કામ કરે છે. એડેપ્ટોજેન એક કુદરતી પદાર્થ છે જે તમારા શરીરને તણાવને અનુકૂલન કરવામાં મદદ કરે છે અને માનસિક સંતુલનને જાળવે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં સામે આવ્યુ છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તુલસીના પાનનું સેવન કરવાથી મૂડ સુધરે છે અને નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે.
તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. આનાથી તમે ક્યારેય બીપી અને શુગરના દર્દી નહીં બનો. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે. તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને તાવથી બચાવે છે.
વધુ વાંચો : ભૂલથી પણ આ ચાર લોકો સાથે દોસ્તી ન કરવી, જીવન જીવવું મુશ્કેલ બની જશે
નિષ્ણાતોના મતે તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે તે તાવથી બચાવે છે. તુલસીના પાન ત્વચાને નીખારવા માટે પણ ઉપયોગી છે. તુલસીના પાન નિયમિત ખાવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ચહેરા પર ચમક આવે છે. તુલસીના પાન પાચનમાં સુધારો કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે, તેથી તુલસીના પાનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT