અભિનેત્રીમાંથી નેતા બનેલા ઉર્મિલા માતોન્ડકરે કોંગ્રેસ પાર્ટીથી રાજીનામુ આપ્યું છે. મુંબઇ કોંગ્રેસમાં આંતરિક જુથવાદથી નારાજ ઉર્મિલાએ કહ્યું કે મારી રાજનૈતિક અને સામાજિક સંવેદનાઓ મોટા લક્ષ્યને હાંસલ કરવાની છે. પરંતુ મુંબઇ કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક રાજનીતિના કારણે હું એવું કરી શકતી નથી.
ઉર્મિલા માતોન્ડકરે કહ્યું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીથી રાજીનામુ આપી ચૂકી છું. મેં પહેલીવાર ત્યારે રાજીનામુ આપવા વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. જ્યારે મારા વારંવાર પ્રયાસ કરવા છતાં કોઇ એક્શન ન લેવામાં આવ્યા નહીં. અને બાદમાં ત્યારના મુંબઇ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવડાને પત્ર લખ્યો હતો. ત્યારબાદ મારા પત્રને લીક કરી દેવાયો હતો, જે એક ખાનગી પત્ર હતો, આ મારી સાથે વિશ્વાસઘાત હતો.
ઉર્મિલાએ કહ્યું કે કહેવાની જરૂર નથી કે પાર્ટીમાં કોઇપણ વ્યક્તિએ મારા વિરોધ છતા માફી ન માંગી. નોંધનીય છે કે મુંબઇ ઉત્તરમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન માટે વિશેષ રૂપે જે લોકોનો મારા પત્રમાં ઉલ્લેખ હતો, તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. અને કાર્યવાહીને બદલે નવા પદો ફાળવામાં આવ્યા.