બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / VTV વિશેષ / activist asks supreme court to probe into whatsapp snoopgate spyware case

દિલ્હી / ભાજપના પૂર્વ મહાસચિવે Whatsapp જાસુસીકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

Published By: Parth

Last Updated: 05:00 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલની સર્વિલાન્સ કંપની એનેએસઓ ગૃપ દ્વારા દુનિયાભરના 1400 મોબાઈલ ફોન પર જાસુસી કરવાનો આરોપ છે. સરકારથી વિરુદ્ધ વિચારધારા ધરાવાતા લોકો, પત્રકાર અને ઘણા સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ભાજપના પૂર્વ મહાસચિવ કે.એન. ગોવિન્દાચાર્ય દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

  • કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદને લખ્યો પત્ર 
  • NIA દ્વારા તપાસ કરાવવા માંગ 
  • 1400 લોકો પર પેગાસસ સ્પાયવેરથી કરવામાં આવી હતી જાસુસી 

ભાજપના પૂર્વ મહાસચિવ કે.એન. ગોવિન્દાચાર્યે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ભાજપના પૂર્વ મહાસચિવ અને સમાજસેવક કે.એન. ગોવિન્દાચાર્યે ફેસબુક અને Whatsapp વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. સ્પાયવેર કેસમાં ફસાયેલા Whatsapp માટે આ અરજી માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.  દુનિયાભરના સેકડોં યુઝર્સ પર ઈઝરાયલની કંપની દ્વારા જાસુસી કરવામાં આવી હતી જેમાં ભારતના 121 લોકોનો પણ સમાવેશ થાય છે.આ સિવાય ભારતમાં ફેક્ન્યુઝ પર રોક લગાવવી એ સરકાર માટે પડકાર છે જેથી Whatsapp પર ફેક્ન્યુઝ અટકાવવાનું દબાણ છે. 

NSOએ સ્પાયવેરને આતંકવાદ વિરુદ્ધની ટેકનોલોજી ગણાવી 

જોકે એનએસઓ ગ્રુપ દ્વારા પણ સફાઈ આપવામાં આવી છે. એનએસઓ ગ્રુપ માને છે કે આ એક પ્રકારની ટેકનોલોજી જે સરકારને આતંકવાદ સામે લાદવામાં મદદ કરે છે અને ગુનાઓ ઓછા કરવામાં પણ આ રેકનોલોજી મદદરૂપ થાય છે. એનએસઓ ગ્રુપ દ્વારા જે પેગાસસ સ્પાયવેરથી લોકોની જાસુસી કરવામાં તેમાં 121 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 

ગોવિન્દાચાર્ય જેમણે અગાઉ પણ સોશિયલ મીડિયા વિરુદ્ધ ઘણી લડત સર્વોચ્ચ અદાલતમાં લડી છે જે બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ ઘણા નીતિગત ફેરફાર પણ કરવા પડ્યા હતા. હવે તેમણે Whatsapp અને ફેસબુક પર ભારતીયોની ગોપનીયતા ભંગ કરવા બદલ તપાસના આદેશ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

કેન્દ્રિયમંત્રીને લખ્યો પત્ર

ગોવીન્દાચાર્યે કેન્દ્રિયપ્રધાન રવિશંકર પ્રસાદને પણ પત્ર લખીને NIA દ્વારા Whatsapp વિરુદ્ધ તપાસ કરવાની માંગ કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને whatsappને ભારતમાંથી હટાવી દેવું જોઈએ અને આ જાસુસી કાંડમાં સંકળાયેલી કંપનીઓની Information Technology 2018 કાયદા મુજબ જવાબદારી નક્કી કરવી જોઈએ.

કંપનીઓ પર કાર્યવાહીની ઉઠી માંગ 

Whatsapp દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું કે તેની સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે એક બંધ રૂમ જેવું છે જેની ચાવી કંપની પાસે પણ નથી.જોકે અરજીકર્તાઓનું માનવું છે કે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી કંપની પર ઘણી વખત આવા હુમાલાઓ થયા છે ત્યારે શું આ કંપનીઓએ સરકારને તેની જાણ કરી હતી? અને જો ન કરી હોય તો સરકાર દ્વારા આવી કંપીઓ પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં ન આવી? 

ભારતના બંધારણમાં શું છે જોગવાઈ ? 

જોકે નિષ્ણાતોએ કહ્યું છે કે IT એક્ટમાં આવી કંપનીઓ સરકારને સુરક્ષા વિષય પર જાણ કરે તેવી કોઈ જોગવાઈ ભારતના IT એક્ટમાં છે જ નહી. IT નિયમો 2011 મુજબ સાયબર સિક્યુરીટી અને તેની લગતી જાણકારીઓ કંપનીઓએ ભારતીય CERTને આપવાની રહેશે, પરંતુ આ એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે જો કંપનીઓ માહિતી ન આપે તો તેમને દંડ અથવા સજા થશે. 

  • Whatsapp દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જ સરકારને જાણ કરીને 121 ભારતીયોના ડેટા ભંગની માહિતી આપી હતી આ ઉપરાંત મેં મહિનામાં જ CERTને માલાવેર એટેકની માહિતી આપવામાં આવી હતી. જોકે સરકારે કહ્યું કે કંપનીએ પૂરતી માહિતી આપી ન હતી. સરકાર ઈચ્છે છે કે કંપની સરકારને કોણ કોણ આ સ્પાયવેરથી પ્રભાવિત થયા છે તેમના નામ અને માલાવેર એટેક ક્યાંથી કરવામાં આવ્યો હતો તે બધી માહિતી સરકારને આપે. ગોવિન્દાચાર્યની અગાઉની અરજીના કારણે Whatsapp કંપનીએ ભારતમાં ફરિયાદી ઓફિસરની નિમણુક કરવી પડી  અને ભારત સરકારને પણ સોશિયલ મીડિયા તથા e-mail પર નીતિ ઘડવી પડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

K.N.Govindacharya NIA Supreme Court WhatsApp Whatsapp Snooping facebook New delhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ