બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / acharya vidyasagar samadhi left body in chhattisgarh jain society mourning

મધ્યપ્રદેશ / જૈન સમાજમાં શોકની લહેર: સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, વર્તમાનના 'વર્ધમાન' કહેવાતા

Published By: Vikram Mehta

Last Updated: 12:08 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહામુનિરાજે છત્તીસગઢના ચંદ્રગિરી તીર્થમાં સમાધિ લીધી છે. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી હોવાના સમચાર મળ્યા પછી મધ્યપ્રદેશ સરકારે અડધા દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

  • આચાર્ય વિદ્યાસાગરજી મહામુનિરાજે સમાધિ લીધી
  • પછી મધ્યપ્રદેશ સરકારે અડધા દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
  • ઘણા દિવસથી આચાર્ય વિદ્યાસાગર મહારાજની તબિયત ખરાબ હતી

સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહામુનિરાજે છત્તીસગઢના ચંદ્રગિરી તીર્થમાં સમાધિ લીધી છે. છેલ્લા 3 દિવસથી ઉપવાસ કર્યા પછી રાત્રે 2:30 બ્રહ્મલીન થયા છે. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધા પછી જૈન સમાજમાં શોકની લહેર છે. છેલ્લા ઘણા દિવસથી તેમની તબિયત ખરાબ હતી. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી હોવાના સમચાર મળ્યા પછી મધ્યપ્રદેશ સરકારે અડધા દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી ચેતન કશ્યમ ડુંગરપુર માટે રવાના થશે સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજનો જન્મ કર્ણાટકના બેલગામ જિલ્લાના સદલગામાં શરદ પૂર્ણિમાએ 10 ઓક્ટોબર 1946ના રોજ થયો હતો. બાળપણમાં તેમનું નામ વિદ્યાધર હતું, તેમણે 30 જૂન 1968ના રોજ અજમેરમાં મુનિ દીક્ષા લીધી હતી. 22 નવેમ્બર 1972ના રોજ તેમને આચાર્યનું પદ મળ્યું હતું, આચાર્ય જ્ઞાન સાગરજીએ તેમને દીક્ષા આપી હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે, તેમના માતા પિતા સહિત તમામ ભાઈ બહેનોએ જૈનીશ્વરી દીક્ષા લીધી હતી. આચાર્ય વિદ્યાસાગરને કન્નડ, હિંદી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું, પરંતુ તેઓ હિંદી બોલવાનું કહેવા હતા. તેઓ લોકોને ભારતને ભારત બોલવાની જ અપીલ કરતા હતા. વર્ષ 1968માં દિગંબર અવસ્થામાં હોવા છતાં ક્યારેય પણ વાહન પર બેઠા નથી, કહ્યા વગર જ વિહાર કરતા હતા. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે આજીવન દહીં, સાકર, મીઠુ, તેલ, ફળ, સૂકા મેવા, લીલા શાકભાજી સહિત અંગ્રેજી દવાનો ત્યાગ કર્યો હતો. કડકડતી ઠંડીમાં પણ ક્યારેય આસન પાથર્યું નહોતું અને ભૌતિક સંસાધનોનો ત્યાગ કર્યો હતો. 

વધુ વાંચો: ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મોટું સન્માન, મળશે 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર

કઠોર નિયમોનું પાલન
24 કલાક ઊભા રહીને હાથથી અંજુલી બનાવીને તેનું સીમિત માત્રામાં સેવન કરતા હતા. દરેક ઋતુમાં લાકડીના આસન પર માત્ર રાત્રિના સમયે એક જ તરફ મોઢુ રાખીને સૂતા હતા. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જૈનેશ્વરી દીક્ષાઓ અપાવી હતી. મૂક પશુઓ પ્રત્યે મનમાં દયાભાવ હતો. અનેક ગૌશાળાઓનું નિર્માણ કરાવ્યું. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજની પ્રેરણાથી કિશોરીઓની શિક્ષા માટે પ્રતિભાસ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

acharya vidyasagar acharya vidyasagar Samadhi acharya vidyasagar jain society આચાર્ય વિદ્યાસાગર વિદ્યાસાગર મહારાજ સમાધિ સંત શિરોમણી મહારાજ સમાધિ Madhya Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ