બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 12:08 PM, 18 February 2024
સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહામુનિરાજે છત્તીસગઢના ચંદ્રગિરી તીર્થમાં સમાધિ લીધી છે. છેલ્લા 3 દિવસથી ઉપવાસ કર્યા પછી રાત્રે 2:30 બ્રહ્મલીન થયા છે. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધા પછી જૈન સમાજમાં શોકની લહેર છે. છેલ્લા ઘણા દિવસથી તેમની તબિયત ખરાબ હતી. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી હોવાના સમચાર મળ્યા પછી મધ્યપ્રદેશ સરકારે અડધા દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી ચેતન કશ્યમ ડુંગરપુર માટે રવાના થશે સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજનો જન્મ કર્ણાટકના બેલગામ જિલ્લાના સદલગામાં શરદ પૂર્ણિમાએ 10 ઓક્ટોબર 1946ના રોજ થયો હતો. બાળપણમાં તેમનું નામ વિદ્યાધર હતું, તેમણે 30 જૂન 1968ના રોજ અજમેરમાં મુનિ દીક્ષા લીધી હતી. 22 નવેમ્બર 1972ના રોજ તેમને આચાર્યનું પદ મળ્યું હતું, આચાર્ય જ્ઞાન સાગરજીએ તેમને દીક્ષા આપી હતી.
महान संत परमपूज्य आचार्य श्री 108 विद्यासागर जी महाराज जैसे महापुरुष का ब्रह्मलीन होना, देश और समाज के लिए अपूरणीय क्षति है। उन्होंने अपनी अंतिम साँस तक सिर्फ मानवता के कल्याण को प्राथमिकता दी। मैं अपने आप को सौभाग्यशाली मानता हूँ कि ऐसे युगमनीषी का मुझे सान्निध्य, स्नेह और… pic.twitter.com/H2il2Y2meb
— Amit Shah (@AmitShah) February 18, 2024
કહેવામાં આવી રહ્યું છે કે, તેમના માતા પિતા સહિત તમામ ભાઈ બહેનોએ જૈનીશ્વરી દીક્ષા લીધી હતી. આચાર્ય વિદ્યાસાગરને કન્નડ, હિંદી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું, પરંતુ તેઓ હિંદી બોલવાનું કહેવા હતા. તેઓ લોકોને ભારતને ભારત બોલવાની જ અપીલ કરતા હતા. વર્ષ 1968માં દિગંબર અવસ્થામાં હોવા છતાં ક્યારેય પણ વાહન પર બેઠા નથી, કહ્યા વગર જ વિહાર કરતા હતા. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે આજીવન દહીં, સાકર, મીઠુ, તેલ, ફળ, સૂકા મેવા, લીલા શાકભાજી સહિત અંગ્રેજી દવાનો ત્યાગ કર્યો હતો. કડકડતી ઠંડીમાં પણ ક્યારેય આસન પાથર્યું નહોતું અને ભૌતિક સંસાધનોનો ત્યાગ કર્યો હતો.
વધુ વાંચો: ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મોટું સન્માન, મળશે 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર
કઠોર નિયમોનું પાલન
24 કલાક ઊભા રહીને હાથથી અંજુલી બનાવીને તેનું સીમિત માત્રામાં સેવન કરતા હતા. દરેક ઋતુમાં લાકડીના આસન પર માત્ર રાત્રિના સમયે એક જ તરફ મોઢુ રાખીને સૂતા હતા. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જૈનેશ્વરી દીક્ષાઓ અપાવી હતી. મૂક પશુઓ પ્રત્યે મનમાં દયાભાવ હતો. અનેક ગૌશાળાઓનું નિર્માણ કરાવ્યું. સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજની પ્રેરણાથી કિશોરીઓની શિક્ષા માટે પ્રતિભાસ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો