બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:50 PM, 17 February 2024
ADVERTISEMENT
મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે, ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. મહાન ફિલ્મ નિર્માતા, ગીતકાર અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે, ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ મળશે
ગીતકાર ગુલઝાર જેઓ તેમના તેજસ્વી સર્જનો માટે વિશ્વભરમાં જાણીતા છે, તેમને ઉર્દૂ ભાષામાં તેમના અતુલ્ય યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જગદ્ગુરુ રામભદ્રાચાર્યનું નામ પણ સંસ્કૃત ભાષામાં તેમના યોગદાન માટે સાહિત્યના આ સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

વધુ વાંચો : રામ મંદિરના કાર્યક્રમમાં અમિતાભ અને ઐશ્વર્યા દેખાઈ, ગરીબો નહીં: રાહુલ ગાંધી
ADVERTISEMENT
રામભદ્રાચાર્ય શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા
જગદગુરુ રામભદ્રાચાર્ય, જેમણે જન્મના બે મહિના પછી જ તેમની આંખોની રોશની ગુમાવી હતી, તેઓ એક ઉત્તમ શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. ઘણી ભાષાઓના જાણકાર જગદગુરુ રામભદ્રાચાર્યે 80 પુસ્તકો લખ્યા છે. તેમને 22 ભાષાઓનું જ્ઞાન છે. જગદગુરુ રામભદ્રાચાર્યને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યને વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.