વડોદરાની કોર્ટમાં પોલીસ જાપ્તામાં રહેલા આરોપીનો આપઘાતથી સનસનાટી મચી ગઈ છે. આરોપીએ પોલીસથી છટકીને ત્રીજા માળેથી આરોપીની મોતની છલાંગ
લગાવી દીધી હતી.અગાઉ ચેક બાઉન્સ કેસમાંશહેરની પાનીગેટ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી હતી . SRP જવાનના જાપ્તામાં રહેલા આરોપીએ આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
કહેવાય છે કે વર્ષ-2019માં સહકર્મચારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતાં અને આરોપી પાસેથી રૂ. 10 લાખના ચેક લઇ લેવામાં આવ્યા હતા. આપઘાત કરનાર આરોપી રેલવે વિભાગમાં ફરજ બજાવતો હતો. ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આરોપીનું મૃત્યુ થયું છે.