બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:24 PM, 30 December 2025
દેશમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ તારીખ સુધી તમે તમારા પાનને આધારકાર્ડ સાથે લિંક નહીં કર્યું હોય તો 1લી જાન્યુઆરી 2026થી તમારું પાનકાર્ડ બંધ થઈ જશે. જો કે આ નિયમોમાંથી અમુક લોકોને અને રાજ્યોને છૂટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ જેટલી નજીક આવી રહી છે લોકો એટલી જ ઝડપે તેમના કામ પુરા કરવામાં લાગી ગયા છે. મોટાભાગના લોકોએ પાનકાર્ડને આધાર સાથે લિંક કરી દીધું છે. બાકીના લોકો આ કામ પુરુ કરવામાં લાગી ગયા છે. નિયમ હેઠળ જો પાત્ર લોકો તેમના પાનકાર્ડને આધારકાર્ડ સાથે 31 ડિસેમ્બર 2025 સુધી લિંક નહીં કરી શકે તો તેમનું પાનકાર્ડ 1લી જાન્યુઆરી 2026થી બંધ થઈ જશે.

ADVERTISEMENT
બીજી તરફ ઘણા લોકો અને રાજ્યોને આ પાન-આધાર લિંકિંગથી બહાર રાખવામાં આવ્યા છે એટલે કે આ લોકો અને રાજ્યોને પાન આધાર લિંકિંગ પ્રક્રિયામાંથી છૂટ આપવામા આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ માનો કે આધાર સાથે PAN CARD લિંક ન કરાવ્યું તો? થઇ શકે છે આ નુકસાન
ADVERTISEMENT
દેશમાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. બીજી તરફ ઘણા એવા લોકો છે જેમને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. એટલે કે આ લોકોએ પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. આવા લોકોમાં બિનભારતીય એટલે કે NRI સામેલ છે. જે ઈનકમ અધિનિયમની શ્રેણીમાં આવતા નથી. આ ઉપરાંત 80 વર્ષના કે પછી તેનાથી વધાર ઉંમર વાળા વ્યક્તિઓએ પણ પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. સાથે જ એવા લોકો જેમની પાસે આધાર નંબર અને એવા લોકો જેમને સરકાર દ્વારા વિશેષ છૂટ મળી છે. આ તમામને પાન-આધાર લિંક કરવું જરૂરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.