બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A youth from Sarsai village of Junagadh committed suicide, the reason behind the suicide is shocking

SHORT & SIMPLE / મામા દેવનું મંદિર ન બનતા જૂનાગઢના સરસઈ ગામના યુવકે કર્યું સુસાઇડ, આપઘાત પાછળનું કારણ ચોંકાવનારું

Vishal Khamar

Last Updated: 03:30 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં સરસઈ ગામમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. યુવકનાં મોત પાછળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. ત્યારે આ મામલે વિસાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • જૂનાગઢના સરસઈ ગામમાં યુવકનો આપઘાત
  • યુવકને અવાર નવાર મામ દેવ મંદિર બનાવી દેશે તેવા સપના આવતા
  • મંદિર ન બનતા આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી

 અવાર નવાર દેવી દેવતાનાં ઉપાસક યુવકો દ્વારા એવું પગલું ભરવામાં આવે છે કે જેનાથી પરિવારજનો પર આભ તૂટી પડે છે.  ત્યારે આવો જ એક બનાવ જૂનાગઢનાં સરસઈ ગામે એક યુવક દ્વારા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અલ્પેશ દાણીધારીયા નામના યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. યુવક દ્વારા આપઘાત કર્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

મામ દેવનું મંદિર ન બનતા યુવકે ઝેરી દવા ગટગટાવી
ત્યારે મળતી માહિતી મુજબ મૃતક યુવક મામા દેવનો ઉપાસક હતો. તેમજ યુવકને મામ દેવ મંદિર બનાવી દેશે તેવા સપના પણ આવતા હતા. યુવક દ્વારા ગામમાં મામ દેવનું મંદિર ન બનતા ઝેરી દવા ગટગટાવી મોતે વ્હાલું કર્યું છે.  યુવક દ્વારા આપઘાત કરી લેતા આ અંગેની જાણ પોલીસને કરતા વિસાવદર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની લાશને પીએમ અર્થે મોકલી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ