બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A married woman committed suicide with two daughters in Dahod
Malay
Last Updated: 11:58 AM, 21 March 2023
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામની પરીણિતાએ પોતાની બે દીકરીઓની સાથે ઉમરીયા ડેમમાં કૂદીને આપઘાત કરી લેતા ટીંબા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે સંતાનો સાથે માતાએ ડેમમાં મોતની છલાંગ મારી
મળતી માહિતી અનુસાર, લીમખેડા તાલુકાના ટીંબા ગામના વેડ ફળિયામાં રહેતી બારમા ધોરણ સુધી ભણેલી પરીણિતા જયાબેન કલ્પેશભાઈ બારીયાએ તારીખ 18 માર્ચ શનિવારના રોજ વહેલી સવારે પોતાની 5 વર્ષની દીકરી પ્રજ્ઞા તથા 2 વર્ષની દીકરી મેઘાને સાથે રાખી પોતાની તથા બંને સંતાનોની જીવન લીલાનો અંત આણવાના ઇરાદે ઉમરીયા ડેમમાં પાણીમાં ઝંપલાવ્યું હતું.
શનિવારે મળી આવ્યો હતો મેઘાનો મૃતદેહ
જેની જાણ થતાં ટીંબા ગામ અને જયાબેનના પિયર કુંડળી ગામમાં ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન બે વર્ષની બાળકી મેઘાનો મૃતદેહ શનિવારે જ ડેમના પાણીના કિનારા ઉપરથી મળી આવ્યો હતો, જ્યારે પાંચ વર્ષની બાળકી પ્રજ્ઞાનો મૃતદેહ દેવગઢબારિયા ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી સોમવારે સવારે બહાર કઢવામાં આવ્યો હતો.
ગઈકાલે સાંજે મળી આવ્યો પરીણિતાનો મૃતદેહ
તો જયાબેનનો મૃતદેહ ગઈકાલે મોડી સાંજે મળી આવ્યો હતો. જે બાદ તમામના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પરીણિતાના પિતા દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી રહી છે.
મને 17 માર્ચે કર્યો હતો ફોનઃ મૃતકના પિતા
મૃતક જયાબેનના પિતા શનાભાઇ પાંડોરે જણાવ્યું હતું કે, 'લગ્નના ત્રણ વર્ષ બાદ જયાને પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી દ્વારા અસહ્ય ત્રાસ આપતા હતા, જેથી તે પિયર આવી ગઈ હતી અને લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કુંડલી તથા ટીંબા ગામના આગેવાનોની હાજરીમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ જયાને પાછી સાસરીમાં મોકલાઇ હતી. 17 માર્ચે સાંજે જયાએ મને બીજાના ફોનમાંથી ફોન કરીને ઘરમાં બધા બહુ ઝઘડા કરે છે તેવું જણાવ્યું હતું. હાલ મૃતક જયાબેનના પિતાએ તટસ્થ પોલીસ તપાસની માંગ કરી છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime