બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / A heritage garden will be built adjacent to the heritage wall of Kot area towards the riverfront east in Ahmedabad
Vishal Khamar
Last Updated: 06:07 PM, 26 August 2023
અમદાવાદમાં રિવરફ્રન્ટ પૂર્વ તરફની કોટ વિસ્તારની હેરિટેજ દિવાલને અડીને 18 હજાર સ્કવેર મીટર જગ્યામાં હેરિટેજ ગાર્ડન બનાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા એક સંસ્થાની મદદથી ખાનપુર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા હેરિટેજ ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેમજ આગામી મહિનાથા આ ગાર્ડનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ત્યારે હેરિટેજ દિવાલ સાથે બનનાર આ શહેરનો પ્રથમ ગાર્ડન હશે.
અમદાવાદને હેરિટેજને દરજ્જો તો મળ્યો પણ સ્થાપત્યોની જાળવણીમાં અમદાવાદીઓ ઉદાસીન
મહાનગર પાલિકા દ્વારા મળતી માહિતી મુજબ ખાનપુર રિવરફ્રન્ટ તરફનાં સરદાર બ્રિજની નીચે કોટ વિસ્તારમાં વર્ષો જુની હેરિટેજ દિવાલ પાસે જ હેરિટેજ ગાર્ડન બનાવાશે. જેમાં પાથવે, લોન તેમજ આસપાસનાં વિસ્તારનાં બાળકોને રમવે માટેની જગ્યા અને ઓપન થિયેટર પણ બનાવાશે. ત્યારે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મેળવ્યા બાદ લોકોમાં હેરિટેજ સ્થાપત્યો અંગે હજુ પણ જાગૃતતાનો અભાવ છે. ત્યારે લોકો હેરિટેજ સ્થાપત્યો અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. તેમજ કોટ વિસ્તારની જુની દિવાલને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં પણ આવશે.
હેરિટેજ દિવાલ જર્જરીત હાલતમાં
અમદાવાદને વર્લ્ડ હેરિટેજમાં સ્થામ મળ્યા બાદ પણ લોકો તેનાં સ્થાપત્યોની જાળવણીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં કોટ વિસ્તારની દિવાલ જર્જરિત બની જવા પામી છે. તો હયાત દિવાલની કોઈ દેખભાળ રાખવામાં આવતી નથી. જેથી જમાલપુર વિસ્તારનાં રિવરફ્રન્ટ તરફની હેરિટેજ દિવાલ હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.
મહંમદ બેગડાએ શહેરની સુરક્ષા માટે કોટ બંધાવ્યો હતો
અમદાવાદની ફરતે 10 કી.મી. નો કોટ ઈ.સ.1487 માં અહમદ શાહ બાદશાહનાં પૌત્ર મહમદ બેગડાએ બનાવ્યો હતો. જેમાં 12 દરવાજા હતા અને 189 પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ત્યારે ઈતિહાસકારોનં મતે મહંમદ બેગડાએ શહેરની સુરક્ષા માટે કોટ બંધાવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime