બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કોલસા જેવી કાળી તવાઈ મિનિટમાં ચમકી જશે, આ જાદુઈ ટ્રિકથી ચોખ્ખી થઈ જશે
Last Updated: 08:08 PM, 18 June 2026
રસોઈ બનાવતી વખતે તવાનો વધુ ઉપયોગ થાય છે. તેલ, ઘી અને ગરમીના સતત સંપર્કમાં રહેવાને કારણે તવા પર કાળા અને હઠીલા પડ જામી જાય છે. વિવિધ સામાન્ય પ્રવાહી કે સાબુથી ઘસ્યા બાદ પણ આ કાળાશ દૂર થતી નથી. મોટાભાગના લોકો તેને સાફ કરવામાં કલાકો પસાર કરે છે પરંતુ તવા તેમ છતાં પણ સાફ થતા નથી. જો તમરા તવા બળી ગયા હોય અને કાળા થઈ ગઈ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે નીચે આપેલા અમુક ઉપાયો અજમાવી શકો છો.
ADVERTISEMENT
તમારા રસોડામાં મીઠું તવામાંથી હઠીલા કાળાશ દૂર કરવા માટે સૌથી અસરકારક વસ્તુ છે. મીઠામાં ઘર્ષક ગુણધર્મો હોય છે જે સપાટીને નુકસાન પહોંચાડ્યા વગર તવા અંદર ઊંડે સુધી ચોંટેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. એના માટે કાળા તવા પર 2 ચમચી મીઠું અને 1 ચમચી ખાવાનો સોડા છાંટો. તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. તમે જોશો કે જમા થયેલ ગંદકી છૂટી ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યારે તેલ અને ઘી બળી જાય છે અને તવા પર કાર્બન જમા થાય છે ત્યારે તેને દૂર કરવું મુશ્કેલ બને છે. પણ વ્હાઈટ વિનેગર ઉપયોગી થઈ શકે છે કેમ કે તેના એસિડિક ગુણધર્મો બળી ગયેલા ખોરાકના અવશેષો અને કાર્બન બોન્ડ્સને ઝડપથી તોડી નાખે છે. એના માટે તમારા તવા પર થોડું વિનેગર રેડો અને તેને ચૂલા પર થોડું ગરમ કરો. ગરમી અને એસિડના કારણે કાળો પડ છૂટી જશે. બાદમાં તેને નિયમિત ડીશ સાબુથી ધોઈ લો.
ADVERTISEMENT
એકવાર તવા પરથી કાળો પડ છૂટી જાય બાદમાં અંતિમ પગલું ખૂબ સરળ બની જાય છે. બાદમાં એક સારું સ્ટીલ સ્ક્રબર કે પ્યુમિસ સ્ટોન લો. તેના પર થોડો ડીશ સાબુ લગાવો અને તવાને ગોળાકાર ગતિમાં સ્ક્રબ કરવાનું શરૂ કરો. વિનેગર અને મીઠાની અસરને કારણે પહેલાની પથ્થર જેવી કઠણ લેયર હવે સરળતાથી દૂર થઈ જશે. બાદમાં તવાને સ્વચ્છ અને ગરમ પાણીથી ધોઈ લો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.