રેલ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જનરલ કોચમાં પણ હવે એસી લગાવામાં આવશે. જેથી સામાન્ય માણસોને હવે મોટો ફાયદો થઈ શકશે.
હવે જનરલ કોચમાં પણ એસી મુકવામાં આવશે
સામાન્ય માણસોને હવે મોટી રાહત મળી રહેશે
નવા કોચમાં દરેક પ્રકારની સુવિધા રાખવામાં આવશે
ભારતીય રેલ્વે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે ટ્રેનના જનરલ કોચમાં પણ એસી લેગાલા જોવા મળશે. રેલ મંત્રાલય દ્વારા મુસાફરોની યાત્રાને સારી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે જનરલ કોચમાં પણ એસી લાગેલા જોવા મળશે.
સેકન્ડ ક્લાસ કોચ પણ એસી વાળા જોવા મળશે
નવી ટેક્નોલોજી પ્રમાણે ટ્રેનો હવે 180 કિલોમીટર પ્રતિ કાલકની સ્પીડે દોડી શકશે. સાથેજ બીજી એક ખાસ વાત તો એ છે કે આ સુવિધા સેકન્ડ ક્લાસ જનરલ કોચમાં પણ જોવા મળશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ જ્યારથી તેમના પદ પર આવ્યા છે ત્યારથી અશ્વિની વૈષ્ણવ મુસાફરો માટે સુવિધાઓ વધારી રહ્યા છે.
નવા કોચમાં 100 મુસાફરો બેસી શકશે
લોકો ટ્રેનમાં સારી રીતે મુસાફરી કરે તેજ રેલમંત્રીનું લક્ષ્ય છે. જેથી આજ કારણોસર બધાજ ટ્રેનના કોચ એસી વાળા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલયના આપેલા સૂત્રો પ્રમાણે હવે ટ્રેનમાં સેકન્ડ કલાસ કોચમાં 100 મુસાફસો બેસી શકશે. નવા કોચ બનાવામાં 2,24 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.
130 કિમીની સ્પિડે હવે નવા કોચ દોડશે
આપને જણાવી દઈએ કે નવા સેકન્ડ ક્લાસ કોચમાં પણ પહેલા કરતા વધારે યાત્રીઓ મુસાફરી કરી શકશે. નવા કોચ 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે દોડશે. જ્યારે જૂના નોન એસી કોચ 110 કિલોંમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડતા હતા.
પહેલા કરતા મુસાફરી વધારે સસ્તી રહેશે
ઉલ્લેખનીય છે કે નવા કોચમાં મુસાફરી પહેલા કરતા પણ વધારે સસ્તી રહેશે તેવી માહિતી રેલ મંત્રાલયના સૂત્રો દ્વારા સામે આવી છે. આ કોચમાં દરવાજાઓ પણ સેંસર વાળા હશે જે ઓટોમેટિક ખુલશે અનં બંધ થશે. તે સિવાય લગેજ રેક, મીનરલ વોટર, બાયો ટોયલેટ, અને મોબાઈલ ચાર્જિંગ પોઈમન્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે,