બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Hiralal
Last Updated: 05:05 PM, 14 January 2024
પીએમ મોદીની લક્ષદ્વીપ વિઝીટને પગલે માલદીવના 3 મંત્રીઓની હકાલપટ્ટી અને ત્યાર બાદના બહિષ્કાર બાદ ભારત અને માલદીવ વચ્ચે તણાવ વધ્યો છે. અત્યાર સુધી ચૂપ રહેલા માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝ્ઝુએ ફરી દાદાગીરી દેખાડવા માંડી છે અને આજે તેમણે ભારતને માલદીવમાંથી તેનું લશ્કર હટાવી લેવા માટે 15 માર્ચની ડેડલાઈન આપી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારતનું લશ્કર માલદીવમાં કેમ છે અને ત્યાં શું કરી રહ્યું છે.
Maldives President Asks India To Withdraw Troops, Sets March 15 As Deadline
— TIMES NOW (@TimesNow) January 14, 2024
READ MORE- https://t.co/qxIAZawniO#Maldives #IndiaMaldivesRow pic.twitter.com/GkRVON6Kiq
માલદીવમાં કેમ તૈનાત છે ભારતીય લશ્કર
1988માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમના કોલ પર ભારતીય સેના ત્યાં ગઈ હતી. 1988માં માલદીવ આંતરિક કલહથી ઝઝૂમી રહ્યું હતું. તે સમયે માલદીવના બિઝનેસમેન અબ્દુલ્લા લુથોફી અને તેના પાર્ટનર સિક્કા અહેમદ ઈસ્માઈલ માનિક તત્કાલીન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ વિરુદ્ધ તખ્તાપલટનું કાવતરું ઘડી રહ્યા હતા. એક દિવસ સમાચાર આવ્યા કે અબ્દુલ્લા લુથોફી અને સિક્કા અહેમદ ઈસ્માઈલ શ્રીલંકાના ઉગ્રવાદી સંગઠન પ્લોટના ભાડૂતી સૈનિકોની મદદથી માલદીવ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે આ લડવૈયાઓએ દેશમાં પ્રવેશવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રપતિ મૌમૂનને ઘેરી લીધા ત્યારે તે એક સેફ હાઉસમાં છુપાઈ ગયા અને ત્યાંથી સીધા જ ભારતને ફોન કરીને તેમની સુરક્ષા માટે મદદ માંગી. આ પછી ભારતની વર્તમાન રાજીવ ગાંધી સરકારે રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની વાતને ગંભીરતાથી લીધી અને થોડા જ કલાકોમાં ભારતીય સેનાની ટુકડીને હુલહુલે એરપોર્ટ પર એરલિફ્ટ કરાઈ. અહીંથી ભારતીય સૈનિકો રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમના સેફ હાઉસ પહોંચ્યા અને તેમને બળવાખોરોથી બચાવ્યા હતા. ત્યારથી આજ સુધી માલદીવમાં ભારતીય લશ્કર તૈનાત છે.
હાલમાં માલદીવમાં કેટલા ભારતીય સૈનિકો
હાલની વાત કરીએ તો માલદીવમાં લગભગ 70 ભારતીય સૈનિકો છે. આ ભારતીય સૈનિકો પાસે કેટલાક એરક્રાફ્ટ છે, જેના દ્વારા તેઓ હિંદ મહાસાગર પર નજર રાખે છે. આ સિવાય આ સૈનિકો માલદીવમાં રાહત કાર્ય અને તબીબી સહાય પૂરી પાડવાનું પણ કામ કરે છે. થોડા સમય પહેલા ભારતીય નૌકાદળે તેનું એક ડોર્નિયર એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટર ત્યાં તૈનાત કર્યા હતા, જેનો ઉપયોગ મુખ્યત્વે 200 નાના ટાપુઓમાંથી દર્દીઓને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે થાય છે.
શું કરશે ભારત
પ્રેસિડન્ટ મુઈઝ્ઝુએ ભારતને માલદીવમાંથી 15 માર્ચ સુધી તેનું લશ્કર ખસેડી લેવાની ડેડલાઈન આપી છે તો શું આવી સ્થિતિમાં ભારત ડેડલાઈનનું પાલન કરશે કે નહીં. રાજકીય પંડિતોના જણાવ્યાનુસાર માલદીવની આવી ડેડલાઈન પહેલી નથી, અગાઉના પ્રેસિડન્ટ પણ લશ્કર હટાવાની વાત કરી ચૂક્યા છે જોકે ભારત તેનો કોઈ જવાબ આપ્યો નહોતો, આ વખતે પણ એવું જ થાય તેવું લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime