બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Kishor
Last Updated: 09:06 PM, 29 May 2023
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તોફાની પવન સાથે મેઘકહેર ત્રાટકતા ઉપાધિના ઘોડાપૂર ઉમટયા છે. અનેક શહેરોમાં વીજળી પડવાના ઉપરાંત તોફાની પવનોને લઈને વૃક્ષ પડવા સહિતની ખાના ખરાબી સર્જાઇ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
ભારે પવન ફૂંકાતા એકનું મૃત્યુ
ગઢડાના ધ્રુફણીયા ગામે વીજળી જીવલેણ નીવડી હતી. જેમાં વીજળી પડતાં છ વર્ષની દિવ્યા રાઠવા નામની બાળકીનું મોત થયું હતું. મહત્વનું છે જે વરસાદી વાતાવરણ વચ્ચે બાળકી વાડીમાં હિચકા ખાતી હતી તે દરમ્યાન વિજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકીની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તો અમરેલીના બાબરાના સુકવાણા ગામમાં પણ વીજળી પડયાંનો કિસ્સો નોંધાયો છે. જેમાં 23 વર્ષીય ખેડૂત ભાવેશભાઈ ભદોરીયાનું મોત થયુ છે. મકાનના રીપેરીંગ કરતા સમયે વીજળી પડતા ખેડૂતનું મૃત્યુ અને અન્ય એક કારીગર પણ ઈજાગ્રસ્ત થયો હતો.
ઈલેક્ટ્રીક ઉપકરણોને પણ નુકસાન
વધુમાં પાલીતાણામાં વીજળી પડવાની ઘટના આવી સામે આવી છે. જેમાં પાલિતાણા યાર્ડની ચેરમેનની ઓફીસની અગાસીમાં વીજળી પડતા ઓફીસની છતમાં રહેલી પાણી ટાંકી તેમજ સ્લેબમાં નુકસાન થવા પામ્યું હતું. વધુમાં ઈલેક્ટ્રીક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું હતું. અંદાજે એક લાખથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
જેતપુરમાં યુવાનનું મોત
બીજી બાજુ તોફાની પવનને લઈને જેતપુરમાં એકનું મોત તથા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે. ચાપરાજપુર ગામમાં ફાર્મ હાઉસમાં આવેલ શેડના પત્તરા ઊડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિ ઓરડીના પતરા રીપેરીંગ કરતા હતા. આ દરમિયાન પવન ફૂંકાતા તે અકસ્માતે નીચે પડ્યા હતા. પતરા સાથે નીચે પટકાતા અતુલભાઈ પોપટભાઈ વઘાસીયા ઉ.વ.35નું મોત જ્યારે 2 ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે જેતપુર બાદ રાજકોટ રીફર કરાયા હતા.
રાજકોટ જિલ્લા અને શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર
બીજી બાજુએ ધોરાજીમાં મીની વાવાજોડા સાથે વરસાદ આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષ ધરાસાઈ થયા હતા. ધોરાજી જૂનાગઢ રોડ પર એલ ટી લાઈન પર વૃક્ષ પડતા રસ્તો બંધ થયો હતો. તે જ રિતે રાજકોટ જિલ્લા અને શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર આવ્યો છે અને ભારે પવન સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું છે. અનેક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પણ ખાબક્યો છે. ત્યારે શહેરના મોરબી રોડ પર ભારે પવનને લઇને વૃક્ષ ધરાશાઈની થયાની ઘટના સામે આવી છે.
VIDEO: ભારે પવનથી દરિયો હિલોળે ચડ્યો, કંડલા પોર્ટ પર ભારે ભરખમ કન્ટેનર ક્રેન ખસેડાઇ#UnseasonalRain #Kutch #kandlaport #RainInGujarat #VTVGujarati pic.twitter.com/Jo3heqvBjK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2023
75થી વધુ વૃક્ષ ધરાશાયી થયા
એટલું જ નહીં અમદાવાદમાં વરસાદના કારણે 75થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. જેમાં વૃક્ષ પડવાથી મંગળ પુરુષોત્તમની ચાલી નજીક એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વૃક્ષ નીચે બેસેલા ધનજી મકવાણા નામના વ્યક્તિને કાળ આંબી જતા પરિવારજનોમાં અરેરાતી મચી જવા પામી છે.તે જ રીતે પાટણના સિદ્ધપુર તાલુકામા ઉમરૂ માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા યુવકનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.બનાસકાંઠાના વરણ ગામના વતની વિક્રમજી ઠાકોર નામના યુવક પર વૃક્ષ પડતા તેનું મોત થયું હતું. વધુમાં વડોદરા અને વડોગરામાં ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા.
ટ્રેક્ટરના શોરૂમના કાચ તૂટ્યા
રાજકોટ, મહેસાણા અંબાજી સહિત આસપાસના વિસ્તારમાં મીની વાવાઝોડાથી નુકસાન થયું છે. પવનની ઝીંકમાં રતનપુરની લોકસેવા હોસ્પિટલની દીવાલ ધરાશાયી થતા ભારે પવનથી દાંતામાં ટ્રેક્ટરના શોરૂમના કાચ તૂટ્યા હતા. તો રતનપૂર હાઈવે પર હોટલ દુકાન સહિતના શેડ ધરાશાયી થયા હતા. અને દાંતા રોડ પર નળિયાવાળું ઘર પણ ધરાશાયી થયુ હતું. એટલું જ નહીં અંબાજી ફોરેસ્ટ ઓફિસની પાસે પણ વૃક્ષો જમીનદોસ્ત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime