બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 AM, 4 September 2025
GST કાઉન્સિલની 56મી બેઠકમાં એક મહત્વનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે GST હેઠળ માત્ર બે જ ટેક્સ સ્લેબ રહેશે: 5% અને 18%. આ નિર્ણયથી વર્તમાન 12% અને 28% ના સ્લેબ નાબૂદ થશે. આ સ્લેબમાં આવતી મોટાભાગની વસ્તુઓને 5% અને 18% ના નવા સ્લેબમાં સમાવી લેવામાં આવશે, જે સામાન્ય જનતા માટે મોટી રાહત સમાન છે. આ પરિવર્તન ક્યારથી અમલમાં આવશે તે અંગેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
#WATCH | Delhi: After the 56th GST Council meeting, Union Finance Minister Nirmala Sitharaman says, "Paan masala, tobacco and everything else. Under the GST, till such a time the loan is repaid, as I said, the 28% plus the compensation cess will run. Once I clear the loan, they… pic.twitter.com/GBi8xFai8y
— ANI (@ANI) September 3, 2025
ચોક્કસ વસ્તુઓ પર 40% નો ઊંચો કર
ADVERTISEMENT
જોકે, કેટલાક ચોક્કસ ઉત્પાદનો માટે ઊંચો ટેક્સ રેટ લાગુ કરવામાં આવશે. આમાં, હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર 40% નો ઊંચો કર લાદવા પર સર્વસંમતિ સધાઈ છે. આ વસ્તુઓમાં પાન મસાલા, સિગારેટ, તમાકુના ઉત્પાદનો, કાર્બોનેટેડ પીણાં, સુપર લક્ઝરી કાર, એરક્રાફ્ટ અને ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે. આ 40% ના કર ઉપરાંત, આ વસ્તુઓ પર કોઈ વધારાનો સરચાર્જ કે સેસ લાગુ કરવામાં આવશે નહીં.
વધુમાં વાંચો: રાજકોટની 8 સ્કૂલોને તાળા મારી દેવાયા, DEO આકરા પાણીએ, સામે આવ્યું ચોંકાવનારું લિસ્ટ
ADVERTISEMENT
સામાન્ય માણસને ફાયદો
નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. 12% અને 28% ના સ્લેબને નાબૂદ કરીને, સામાન્ય ઉપયોગની વસ્તુઓ પરનો કર ભાર ઘટાડવાનો હેતુ છે. આ ફેરફારોથી વસ્તુઓની કિંમતોમાં સ્થિરતા આવશે અને કર પ્રણાલી વધુ સરળ બનશે. સરકારનું આ પગલું નાગરિકો માટે આર્થિક રાહત અને પારદર્શિતા લાવવામાં મદદ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.