બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Khyati
Last Updated: 01:08 PM, 5 August 2022
નદીએ આપણી માતા છે. નદીઓને કારણે જ માનવીની આર્થિક જરૂરિયાતો પુરી થાય છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે. નદીઓનું જળ કુદરતી સંશાધન છે. પરંતુ દિવસ જાય તેમ નદીઓનું મહત્વ ભૂલાતુ હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્ર જળસંશાધન મંત્રાલયે જાહેર કરેલી માહિતી ખરેખર ચોંકાવી દે તેવી છે. ગુજરાતની નદીઓ પ્રદૂષિત હોવાનુ સામે આવ્યુ છે.
ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત
જી હા, ગુજરાતની કુલ 20 નદીઓ પ્રદૂષિત હોવાની માહિતી સામે આવી છે. જેમાં નર્મદા, સાબરમતી, અમલાખાડી, ભાજર, ભોગાવો, વિશ્વામિત્રી, દમણગંગા, તાપી, મેશ્નો સહિત કુલ 20 નદીઓ અત્યંત પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. જેમાં નર્મદામાં ગરુડેશ્વરથી ભરૂચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત છે.ઔદ્યોગિક એકમોના ગંદા પાણીએ નદીઓની સ્થિતિ બગાડી હોવાનુ સામે આવ્યું છે. મહત્વનુ છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડેટા એકત્ર કરાયા જેમાં ગુજરાત સહિત દેશની 351 નદીઓ પ્રદૂષિત છે તેમ કેન્દ્રના જળ સશાંધન મંત્રાલય માહિતી આપતા જણાવ્યું હતું.
કરોડોનું ફંડ ફાળવવા છતાં સાબરમતી પ્રદૂષિત
સાબરમતી નદી પણ પ્રદૂષિત નદીના લિસ્ટમાં સામેલ છે. ત્યારે જો આ નદી વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ દૂર કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સાબરમતી શુદ્ધિકરણ માટે છેલ્લા 4 વર્ષમાં 282.17 કરોડ ફાળવ્યા. તેમ છતાં પણ આજે સાબરમતી નદીની ગણતરી પ્રદૂષિત નદીઓમાં થાય છે. નદીમાં હજી પણ કેમિકલયુક્ત ઝેરી પાણી બેરોકટોક ઠલવાઇ રહ્યુ છે.
કેન્દ્ર સરકારે સાબરમતી શુદ્ધિકરણ માટે કેટલી રકમ ફાળવી
|
|
|
|
|
|
|
|
|
|
ત્યારે અહીં સવાલ એ થાય છે કે અવારનવાર નદીના પાણીમાં કેમિકલ ભળ્યુ હોવાનુંસામે આવે છે. નદીઓનું પાણી પ્રદૂષિત હોવાનું નરી આંખે પણ જોવામાં આવે છે તેમ છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહીને નામે માત્ર સેમ્પલ લઇને સંતોષ માનવામાં આવે છે. ઘણા એવા શહેરો અને ગામો છે જ્યાં કેમિકલ માફિયાઓથી ભારે પરેશાની છે પરંતુ તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ ઉંચા કાન લાગતુ નથી. કેમિકલ વાળા પીવાના પાણીમાં ભળી જાય છે, લોકો બીમાર પડે છે. તેમ છતાં કેમિકલ માફિયાઓ બેફામ થઇને નદીઓને પ્રદૂષિત કરવાનું પાપ હરહંમેશા કરતા આવે છે. ત્યારે ઉદ્યોગોનું પાણી નદીમાં છોડનારા આવા બેખોફ તત્વો સામે લાલઆંખ કરવામાં આવે તો જ નદીઓને પ્રદૂષિત થતી બચાવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime