બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
Last Updated: 08:51 PM, 4 May 2026
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા
ADVERTISEMENT
નવી જાહેરાત મુજબ, મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા થશે. આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ માનવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.

ADVERTISEMENT
મહત્વની બાબત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાનો તફાવત (એરિયર) કર્મચારીઓ અને પેન્શનરોને જૂન માસના પગારમાં ચૂકવવામાં આવશે. આથી એકમૂષ્ટ રકમ મળવાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ રીજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંતર્ગત સુરતમાં ગુજરાત પ્રવાસનનું થીમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર
ADVERTISEMENT
રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને સહાયરૂપ બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ મુજબ, તમામ સંબંધિત વિભાગોને આ અમલ માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે રાજ્યભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.