બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ ઠાર, CMએ કહ્યું 'સફળતા સરાહનીય

BREAKING / છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ ઠાર, CMએ કહ્યું 'સફળતા સરાહનીય

Last Updated: 09:33 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં 12 નક્સલીઓ ઠાર કરાયા છે.

છત્તીસગઢના બીજાપુરથી મોટા સમાચાર છે. અહીં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના ભારે ગોળીબારમાં અત્યાર સુધી 12 નક્સલીઓને ઠાર કરી દેવાયા છે.

ગંગાપુર વિસ્તારના પીડિયાના જંગલોમાં ચાલી રહ્યુ છે ઓપરેશન

આ ઓપરેશન ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીડિયા જંગલોમાં ચાલી રહ્યું છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે બંને તરફથી ગોળીબાર ચાલુ છે. એવું કહેવાય છે કે 9મી મેની રાત્રે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે બીજાપુરના છેલ્લા ગામ પીડિયામાં મોટી સંખ્યામાં નકસલવાદી નેતાઓ છુપાયા છે. જે બાદ તેમના વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું હતું.

IEDની ચપેટમાં આવવાથી 2 સૈનિકો ઘાયલ

આ દરમિયાન IEDની ચપેટમાં આવવાને કારણે બે સૈનિકો ઘાયલ થયા છે, જોકે સૈનિકોની હાલત ખતરાની બહાર છે. દુર્ગમાં વધુ એક STF જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનને ઈજ્જત આપવી જોઈએ...' પિત્રોડા બાદ હવે મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન

અગાઉની અથડામણમાં 29 નક્સલીઓ માર્યા ગયા હતા

નોંધનીય છે કે 16 એપ્રિલે છત્તીસગઢના કાંકેરમાં નક્સલવાદીઓની મોટી અથડામણ થઈ હતી. સુરક્ષા દળો અને નકલી વચ્ચેના એન્કાઉન્ટરમાં 29 માઓવાદીઓ માર્યા ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ