બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
Last Updated: 09:33 PM, 10 May 2024
છત્તીસગઢના બીજાપુરથી મોટા સમાચાર છે. અહીં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના ભારે ગોળીબારમાં અત્યાર સુધી 12 નક્સલીઓને ઠાર કરી દેવાયા છે.
ADVERTISEMENT
ગંગાપુર વિસ્તારના પીડિયાના જંગલોમાં ચાલી રહ્યુ છે ઓપરેશન
આ ઓપરેશન ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીડિયા જંગલોમાં ચાલી રહ્યું છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે બંને તરફથી ગોળીબાર ચાલુ છે. એવું કહેવાય છે કે 9મી મેની રાત્રે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે બીજાપુરના છેલ્લા ગામ પીડિયામાં મોટી સંખ્યામાં નકસલવાદી નેતાઓ છુપાયા છે. જે બાદ તેમના વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું હતું.
ADVERTISEMENT
IEDની ચપેટમાં આવવાથી 2 સૈનિકો ઘાયલ
આ દરમિયાન IEDની ચપેટમાં આવવાને કારણે બે સૈનિકો ઘાયલ થયા છે, જોકે સૈનિકોની હાલત ખતરાની બહાર છે. દુર્ગમાં વધુ એક STF જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનને ઈજ્જત આપવી જોઈએ...' પિત્રોડા બાદ હવે મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન
અગાઉની અથડામણમાં 29 નક્સલીઓ માર્યા ગયા હતા
નોંધનીય છે કે 16 એપ્રિલે છત્તીસગઢના કાંકેરમાં નક્સલવાદીઓની મોટી અથડામણ થઈ હતી. સુરક્ષા દળો અને નકલી વચ્ચેના એન્કાઉન્ટરમાં 29 માઓવાદીઓ માર્યા ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT