બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કેમિકલથી પાકેલું લાલ તરબૂચ તો તમે નથી ખાતાને? સાચું ઓળખવા માટે ટ્રાય કરો 3 રીત

હેલ્થ / કેમિકલથી પાકેલું લાલ તરબૂચ તો તમે નથી ખાતાને? સાચું ઓળખવા માટે ટ્રાય કરો 3 રીત

Nirav Kumar

Last Updated: 04:21 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની ઋતુમાં તરબૂચની ડિમાન્ડ વધે છે. આથી અમુક લોકો તરબૂચમાં પણ ભેળસેળ કરે છે અને તેને પકવવા કેમિકલ નાખે છે. આવા તરબૂચ ખાવાથી હેલ્થ પ્રોબ્લેમ પણ થઇ શકે છે.

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ માર્કેટમાં તરબૂચ વેચવાની શરૂઆત થઇ જાય છે. લોકો તેને ખૂબ જ સ્વાદથી ખાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સામેલ પોષક તત્વો અને પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. પરંતુ આજકાલ બધું જ ભેળસેળવાળું મળે છે અને તરબૂચમાં પણ ભેળસેળ થઈ રહી છે. તમે વિચારી રહ્યા હશો કે તરબૂચમાં ભેળસેળ કેવી રીતે થઈ શકે છે કેમ કે આપણે તો કાપ્યા વગરના આખા ફળો જ ખરીદીએ છીએ.

પરંતુ તરબૂચનો બાહ્ય પડ અસલી દેખાઈ શકે છે પણ તેમાં રંગીન કેમિકલ નાખવામાં આવ્યા હોઈ શકે છે અને તેને લાલ રંગમાં પાકવામાં આવ્યુ હોઈ શકે છે. કેમિકલથી કોટેડ તરબૂચ ખાવાથી તમે બીમાર થઈ શકો છો અને તેનાથી કોઈ હેલ્થ બેનીફીટ પણ થશે નહીં. આજે અમે તમને અસલી અને નકલી તરબૂચ વચ્ચેનો તફાવત અને સાચા તરબૂચને કેવી રીતે ઓળખવા તે જણાવીશું.

VTV DIGITAL

ઉનાળામાં તરબૂચની માંગ વધુ હોવાથી અનેક લોકો તેને કેમિકલથી પકવે છે જેનાથી તેને લાલ રંગ મળે છે. સ્વાદને મધુર બનાવવા માટે સુગર પણ ઉમેરવામાં આવે છે. આ પરિસ્થિતિઓમાં ગ્રાહકો ઘણીવાર છેતરાય છે અને નકલી તરબૂચ ખરીદે છે. પણ ભેળસેળયુક્ત તરબૂચ ખાવાથી પેટની વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. જેમાં ફૂડ પોઈઝનિંગનો પણ સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ અસલી અને નકલી તરબૂચ ઓળખવાની પદ્ધતિ જણાવી છે અને હેલ્થ એક્સપર્ટે પણ એક સરળ યુક્તિ શેર કરી છે. ચાલો તે વિષે જાણીએ.

  • અસલી અને નકલીની ઓળખ

સૌથી સરળ અને સરળ રીત ટીશ્યુ પેપર ટ્રીક છે. જ્યારે પણ તમે તરબૂચ ખરીદો છો ત્યારે દુકાનદાર તેને કાપે છે જેથી તમને ખબર પડે કે તે પાકેલું છે કે નહીં. જો તમે તેને કપાવતા નથી તો તમારે ચોક્કસપણે તે કરવું જોઈએ. તેમને તરબૂચનો ટુકડો કાપીને ટીશ્યુ પેપર આપવાનું કહો. જો તમે તરબૂચ પર ટીશ્યુ પેપર મૂકો અને તે લાલ કે નારંગી થઈ જાય તો સમજવું કે તે નકલી છે. જો ટીશ્યુ પેપર રંગ બદલતો નથી તો તે અસલી છે.

તમે નકલી તરબૂચ ઓળખવા માટે પાણીની ટ્રીકનો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે પાણીમાં તરબૂચનો ટુકડો નાખો. જો તે પાણીને લાલ બનાવી દે તો સમજવું કે તે નકલી છે. અસલી તરબૂચથી ક્યારેય પાણીનો રંગ બદલતો નથી. કેમિકલ કલરના તરબૂચનો રંગ પાણીમાં ઓગળવા લાગશે.

વધુ વાંચો : લાંબુ અને નીરોગી જીવવા માગો છો? 111 વર્ષના દાદા પાસેથી જાણો

તમે તરબૂચને તેના શેપથી પણ ઓળખી શકો છો. જો તેનું થડ પીળાશ પડતું સૂકું હોય, તળિયે પીળો ડાઘ હોય તો તે પાકેલું છે. જો થડ લીલુંછમ તાજું હોય, તળિયે સફેદ ડાઘ હોય, તેજસ્વી લાલ રંગ હોય અને સફેદ બીજ હોય તો સમજવું કે તે નકલી તરબૂચ હોવાની શક્યતા છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chemicals Health Problems Watermelon
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ