બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માધાપર ફૂડ પોઇઝનિંગ કેસ બાદ તંત્ર એક્શનમાં, શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલાયા
Last Updated: 11:13 PM, 15 June 2026
કચ્છના માધાપર ગામમાં બટુક ભોજન દરમિયાન થયેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાએ આરોગ્ય અને ફૂડ વિભાગને હરકતમાં મૂકી દીધા છે. ઘટનામાં આશરે 40 બાળકોની તબિયત બગડતાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ફૂડ વિભાગની ટીમે ઘટનાસ્થળ સાથે સંકળાયેલા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે વિવિધ સેમ્પલ એકત્ર કર્યા છે. માધાપરની શિવ ડેરી અને ખાવડા સ્વીટ્સમાંથી દહીં, બુંદી અને સેવના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ADVERTISEMENT
ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લેબ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જો ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની બેદરકારી કે ગુણવત્તાનો ભંગ સામે આવશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT
બીજી તરફ, આરોગ્ય વિભાગે પણ સાવચેતીના ભાગરૂપે માધાપર વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ ઘેરઘેર જઈ લોકોની તબિયત અંગે માહિતી મેળવી અને કોઈ નવા કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઘર ખરીદનારાઓને ઝટકો, 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારો
ADVERTISEMENT
ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.