બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:33 PM, 15 June 2026
સંચિતા ઉગલે અનેક લોકપ્રિય ટીવી શોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી હતી. તેમણે સાજન ઘર, કુમકુમ ભાગ્ય, વાગલે કી દુનિયા અને દિલવાલી દુલ્હા લે જાયેગી જેવા શોમાં કામ કર્યું હતું. ઉપરાંત, તેઓ વિક્કી કૌશલની ફિલ્મ છાવામાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમણે તારાબાઈનું પાત્ર ભજવ્યું હતું. અહેવાલો મુજબ સંચિતાની ઉંમર લગભગ 30 વર્ષ હતી. તેમના નિધનના સમાચારથી પરિવાર અને નજીકના લોકો ખૂબ જ વ્યથિત છે. હાલ તેમણે આ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
સંચિતાના નિધન બાદ તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ચર્ચાનો વિષય બની છે. અહેવાલ મુજબ, અવસાન પહેલાં લગભગ 19 કલાક પહેલા તેમણે એક રીલ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ ખુશ અને હસતાં જોવા મળતા હતા. આ કારણે ચાહકો માટે આ સમાચાર વધુ આઘાતજનક બન્યા છે, કારણ કે વીડિયોમાંથી કોઈ તણાવ કે મુશ્કેલીનો અંદાજ આવતો ન હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંચિતાના અચાનક નિધનના સમાચાર સાંભળીને તેમના ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રશ્મિકા મંદાના ભીડમાં બરાબરની ફસાઈ, માંડ માંડ નીકળી, જુઓ હાલત સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઘટનાની વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.