ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "સંસ્કૃતિ-હિન્દુ ધર્મ વિરુદ્ધનું કાવતરું"નવરાત્રીમાં ગરબા પાર્ટનર ભાડે આપવાના વિવાદ પર બોલ્યાં યોગી દેવનાથ બાપુ
Last Updated: 03:32 PM, 20 September 2026
ADVERTISEMENT
નવરાત્રીમાં ‘પાર્ટનર ભાડે’ના વાયરલ મેસેજ અંગે યોગી દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ સમાજ, સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ વિરુદ્ધનું કાવતરું છે . કેટલાક અસામાજિક તત્વો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સનાતન ધર્મ અને પરંપરા વિરુદ્ધ કામ કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે અસામાજિક તત્વો સામે પ્રશાસન કડક પગલાં ભરે તેવી પણ માંગ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ક્યાંક તમે તો નકલી iPhone નથી ખરીદ્યો ને? આ રીતે 5 મિનિટમાં કરો ચેક
શું હતો વિવાદ?
ADVERTISEMENT
સુરતમાં નવરાત્રી પર્વ પહેલાં 'ભાડે ગરબા પાર્ટનર'ના આપવાના મેસેજ વાયરલ થયા હતા. સ્થાનિક સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનોના જણાવ્યા અનુસાર, આ મેસેજીસ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર છે. આજની યુવા પેઢી જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન તરફ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત મનોવૃત્તિ ધરાવતા લોકો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે આવા અનૈતિક પ્રચારો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.