બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Yoga Day 2026: યોગ કરતા પહેલા જાણો આ 5 જરૂરી નિયમો, નહીં તો થઈ શકે છે નુકસાન

photo-story

6 ફોટો ગેલેરી

જાણી લેજો / Yoga Day 2026: યોગ કરતા પહેલા જાણો આ 5 જરૂરી નિયમો, નહીં તો થઈ શકે છે નુકસાન

Last Updated: 07:15 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

યોગ શરીર અને મનને સ્વસ્થ રાખવાની એક પ્રાચીન અને અસરકારક પદ્ધતિ છે. પરંતુ યોગ્ય સમય અને યોગ્ય રીતથી કરવામાં આવેલ યોગ જ શરીરને સંપૂર્ણ લાભ આપી શકે છે.

1/6

photoStories-logo

1. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ઘણા લોકો યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ લે છે. જોકે યોગ શરૂ કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે. ખોટા સમયે અથવા ખોટી રીતથી કરાયેલ યોગાભ્યાસ લાભની જગ્યાએ નુકસાન પણ પહોંચાડી શકે છે. આયુર્વેદ અને યોગ વિજ્ઞાન અનુસાર યોગ માટે યોગ્ય સમય, ખોરાક અને શરીરની તૈયારીનું ખાસ મહત્વ છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો યોગના લાભો અનેકગણા વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યોગ માટે સવારનો સમય સૌથી શ્રેષ્ઠ

યોગ વિજ્ઞાન મુજબ સવારનો સમય યોગ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સવારના સમયે વાતાવરણ શુદ્ધ અને મન શાંત હોય છે, જેના કારણે યોગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. આ સમયે શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે અને આખો દિવસ તાજગીનો અનુભવ થાય છે. નિયમિત સવારનો યોગ શરીર અને મન બંનેને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ખાલી પેટ યોગ કરવાથી મળે છે વધુ લાભ

યોગ હંમેશા ખાલી પેટ અથવા ખૂબ હળવું ખાધા પછી કરવો જોઈએ. જ્યારે પેટ ખાલી હોય છે ત્યારે શરીરની ઊર્જા આસનો અને પ્રાણાયામમાં સારી રીતે વપરાય છે. તેનાથી શરીરની લવચીકતા વધે છે અને આંતરિક અંગો વધુ સારી રીતે કાર્ય કરે છે. ભરેલા પેટે યોગ કરવાથી અસ્વસ્થતા અનુભવાઈ શકે છે અને યોગનો સંપૂર્ણ લાભ મળતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભોજન કર્યા પછી તરત યોગ કરવા ટાળો

જમ્યા પછી તરત યોગ કરવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. તેના કારણે પેટમાં દુખાવો, ભારેપણું, એસિડિટી, ઊબકા અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો ભારે ભોજન લીધું હોય તો ઓછામાં ઓછા 3 થી 4 કલાક બાદ યોગ કરવો જોઈએ. જ્યારે હળવો નાસ્તો કર્યો હોય ત્યારે 1 થી 2 કલાકનું અંતર રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. યોગ પહેલા પાણી અને લાઈટ ફુડ લઈ શકાય

યોગ શરૂ કરતા લગભગ અડધો કલાક પહેલા સાદું અથવા હૂંફાળું પાણી પીવું ફાયદાકારક ગણાય છે. જો જરૂર લાગે તો એક કેળું, સફરજન અથવા અન્ય કોઈ હળવું ફળ પણ ખાઈ શકાય છે. તેનાથી શરીરને પૂરતી ઊર્જા મળે છે અને યોગ દરમિયાન થાક લાગતો નથી. જોકે પેટ સંપૂર્ણ ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. યોગ બાદ તરત ખાવાનું ટાળો

યોગ પૂર્ણ થયા પછી તરત જ પાણી પીવું અથવા ખોરાક લેવો યોગ્ય નથી. શરીરને સામાન્ય સ્થિતિમાં આવવા માટે થોડો સમય આપવો જોઈએ. યોગ કર્યા પછી લગભગ 20 થી 30 મિનિટ બાદ પાણી પીવું અથવા હળવો નાસ્તો કરવો વધુ યોગ્ય ગણાય છે. આ રીતે શરીરને યોગના તમામ લાભો સારી રીતે પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yoga Benefits Yoga Timing Empty Stomach Yoga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ