બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર ભયાનક હુમલો!, સલાયાના 13 ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ EXCLUSIVE VIDEO

વિશ્વ / લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર ભયાનક હુમલો!, સલાયાના 13 ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ EXCLUSIVE VIDEO

Published By: Nidhi Panchal
Reported By: Hiren Parmar

Last Updated: 02:12 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યમનના લાલ સમુદ્રમાં ભારતીય વેપારી જહાજ પર થયેલા હુમલાએ સમગ્ર દેશની ચિંતા વધારી દીધી હતી. જોકે રાહતની વાત એ છે કે 13 ગુજરાતી સહિત તમામ 14 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

યમનના લાલ સમુદ્રમાં ભારતીય વેપારી જહાજ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. 4 ઓગસ્ટના રોજ થયેલા આ હુમલા બાદ જહાજમાં ભીષણ આગ લાગી હતી અને આખરે તે સમુદ્રમાં ડૂબી ગયું હતું. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે જહાજ પર સવાર તમામ 14 ખલાસીઓનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે. હાલમાં તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે અને હવે તેમને ભારત પરત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

jahanj

મળતી માહિતી મુજબ, 'એમએસવી ફેઝ નૂરે ઓલિયા' નામના ભારતીય જહાજ પર 4 ઓગસ્ટે યમનના લાલ સમુદ્ર વિસ્તારમાં વિસ્ફોટક બોટ અથવા પ્રોજેક્ટાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે જહાજમાં થોડા જ સમયમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પર કાબૂ મેળવી શકાય તે પહેલાં જહાજને ભારે નુકસાન થયું હતું અને આખરે તે લાલ સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ જહાજ પર કુલ 14 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તેમાં સૌથી મહત્વની વાત એ છે કે 13 ખલાસીઓ ગુજરાતના દ્વારકા જિલ્લાના સલાયા ગામના હોવાનું સામે આવ્યું છે. હુમલાના સમાચાર સામે આવતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી અને તમામની સુરક્ષાને લઈને પ્રાર્થનાઓ શરૂ થઈ હતી.

કામગીરી હાથ ધરવામાં આવી

હુમલા બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. યમન કોસ્ટ ગાર્ડે તમામ 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. બચાવ બાદ તમામ ખલાસીઓને સલામત રીતે મોખા પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમના પરિવારજનો અને સમગ્ર ગુજરાતમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

સતત યમનના પ્રશાસનના સંપર્કમાં

આ સમગ્ર મામલે રિયાધ સ્થિત ભારતીય એમ્બેસી સતત યમનના પ્રશાસનના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસ દ્વારા તમામ ખલાસીઓની સુરક્ષા અને તેમની સુખાકારી અંગે સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ તમામ ક્રૂ મેમ્બર્સને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે. આવા હુમલાઓ વૈશ્વિક વેપાર, સમુદ્રી સુરક્ષા અને નાવિકોની સલામતી માટે મોટો પડકાર બની રહ્યા હોવાનું પણ ભારપૂર્વક જણાવાયું છે.

આ પણ વાંચો : એનાલોગ પનીર પર ગુજરાતમાં પ્રતિબંધ છતાં રાજકોટમાં ‘ખેલ’ ચાલુ! સીલ કરેલી ફેક્ટરી ફરી ધમધમતી જોવા મળી, સુરતમાં પણ દરોડા

યમનના લાલ સમુદ્રમાં બનેલી આ ઘટના ફરી એક વખત દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર સુરક્ષાની સ્થિતિ હજુ પણ પડકારજનક છે. જોકે યમન કોસ્ટ ગાર્ડની ઝડપી બચાવ કામગીરી અને ભારતીય દૂતાવાસના સતત સંકલનને કારણે તમામ 14 ખલાસીઓ હેમખેમ બચી ગયા છે. હવે તમામને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે ભારત સરકાર જરૂરી તમામ કાર્યવાહી કરી રહી છે, જ્યારે સમગ્ર દેશ તેમની સલામત વાપસીની રાહ જોઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Red Sea Indian Ship Yemen Attack

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ