બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / એનાલોગ પનીર શું હોય છે?ઘરે આ રીતે ઓળખો કે તમારુ પનીર અસલી છે નકલી ? જાણો સંપૂર્ણ માહિતી

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / એનાલોગ પનીર શું હોય છે?ઘરે આ રીતે ઓળખો કે તમારુ પનીર અસલી છે નકલી ? જાણો સંપૂર્ણ માહિતી

Last Updated: 03:20 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Analogue Paneer: એનાલોગ પનીર તે એક પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે

1/5

photoStories-logo

1. શું એનાલોગ પનીર છે?

એનાલોગ પનીર એ પરંપરાગત પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ પ્રક્રિયા દ્વારા તેને પનીર જેવી રચના અને સ્વાદ આપવામાં આવે છે, જેથી તે વિગન અને શાકાહારી લોકો માટે એક સારો વિકલ્પ બની શકે. કેટલાક પ્રકારના એનાલોગ પનીરમાં પામ ઓઇલ, સ્ટાર્ચ અને અન્ય ફૂડ એડિટિવ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો રિયલ એનાલોગ હોય તો તેના ફાયદા પણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એનાલોગ અસલી પનીર વચ્ચે શું તફાવત છે?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યાનુસાર એનાલોગ ચીઝમાં ઘણીવાર વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ હોય છે, જ્યારે વાસ્તવિક ચીઝ મુખ્યત્વે દૂધમાંથી બનાવવામાં આવે છે. એનાલોગ પનીરમાં કુદરતી રીતે બનતા પોષક તત્વો જેવા કે, પ્રોટીન અને વિટામિન B12 નું લેવલ અસલી પનીર કરતા ઓછું હોઈ શકે છે. એનાલોગ પનીર સામાન્ય રીતે પામ ઓઇલ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જે તેને અસલી પનીરથી અલગ બનાવે છે. એનાલોગ પનીરમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. જ્યારે અસલી પનીરમાં જોવા મળતા કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન B12 જેવા પોષક તત્વોનો અનાલોગ પનીરમાં અભાવ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. એનાલોગ પનીરના ફાયદા

(1) જે લોકો દૂધ અથવા ડેરી ઉત્પાદનોનું સેવન કરતા નથી, તેમના માટે એનાલોગ પનીર એક સારો વિકલ્પ બની શકે છે.(2) બજારમાં ઉપલબ્ધ કેટલાક એનાલોગ પનીરમાં સામાન્ય પનીરની તુલનામાં ઓછી કેલરી અને ઓછી ચરબી હોઈ શકે છે.(3)એનાલોગ પનીર અલગ-અલગ સામગ્રીથી બનાવવામાં આવતું હોવાથી ગ્રાહકોને વિવિધ વિકલ્પો મળી રહે છે. (4)પરંપરાગત પનીરની સરખામણીમાં કેટલાક એનાલોગ પનીર સસ્તા હોઈ શકે છે, તેથી ફૂડ ઇન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટમાં તેનો ઉપયોગ વધુ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એનાલોગ પનીરના નુકસાન

(1)પ્રોટીન ઓછું હોઈ શકે, (2) પાચન સંબંધિત સમસ્યાઓ, (3) વજન વધવાનું જોખમ, (4) સ્વાદ અને ટેક્સચરમાં તફાવત, (5) પ્રોસેસ્ડ ફૂડ અને એડિટિવ્સ, (6) હૃદયના સ્વાસ્થ્ય પર અસર.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પનીર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

(1) પ્રોડક્ટનું લેબલ અને ઇન્ગ્રેડિયન્ટ્સ જરૂર વાંચો, (2) પ્રોટીન, ફેટ અને સોડિયમનું પ્રમાણ તપાસો, (3) વિશ્વસનીય બ્રાન્ડની પ્રોડક્ટ પસંદ કરો, (4) વધુ પ્રોસેસ્ડ ફૂડનું નિયમિત સેવન ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

About health analogue paneer effects of consuming on body
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ