હમણાં એક અધ્યયનમાં સામે આવ્યું છે કે વોટર બેર એટલે કે ટાર્ડીગ્રેડસ નામના જીવો ધરતીના સૌથી મજબૂત જીવો છે.
સૂર્યના ઘાતક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવું અઘરું છે. આ કિરણોથી ત્વચાનું કેન્સર જેવા રોગો થઇ શકે છે. જો કે હમણાં એક અધ્યયનમાં સામે આવ્યું છે કે વોટર બેર એટલે કે ટાર્ડીગ્રેડસ નામના જીવો ધરતીના સૌથી મજબૂત જીવો છે. વિચિત્ર દેખાતા આ જીવોને મોસ પિગલેટ્સના નામથી પણ ઓળખવામાં આવે છે.
ટાર્ડીગ્રેડસ અતિશય નાના હોય છે. તેઓ આશરે અડધા મીલીમીટર જેટલા હોય છે જેમને નરી આંખે જોવા લગભગ અશક્ય છે. તેઓ કદમાં જાડા અને પગની 4 જોડી ધરાવે છે અને પગની નીચે નાનકડા પંજા આવેલા હોય છે.
સામાન્ય રીતે, મનુષ્ય 35 થી 40 ડિગ્રી તાપમાનમાં હેરાન થઇ જાય છે, જ્યારે આ જીવ 300 ડિગ્રી ફેરનહિટ તાપમાન સહન કરી શકે છે. એટલું જ નહીં આ જીવો અવકાશના ઠંડા વિસ્તારો અને મેરિઆના ટ્રેચ જેવા ભારે દબાણવાળા વિસ્તારોમાં પણ જીવી શકે છે. આ તમામ બાબતો ભારતમાં કરાયેલા એક રિસર્ચમાં બહાર આવી છે.
ભારતીય સંશોધનકારોએ આ જીવમાં એક નવું જનીન શોધ્યું છે, જેને 'પેરામેક્રોબાયોટસ' કહેવામાં આવે છે. પેરામેક્રોબાયોટસ એક રક્ષણાત્મક ફ્લોરોસન્ટ કવચ છે જે અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગને રોકે છે. આ જનીન હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને શોષી લે છે અને તેને હાનિકારક વાદળી પ્રકાશમાં પાછું બહાર ફેંકે છે. તે જ સમયે સામાન્ય જીવ આ હાનિકારક કિરણો વચ્ચે માત્ર 15 મિનિટ જ જીવી શકે છે.