બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 AM, 27 September 2025
Pakistan PM Shehbaz Sharif : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રની સામાન્ય ચર્ચામાં ભારત સાથે સંવાદ શરૂ કરવા માટે ભારપૂર્વકની અપીલ કરી. વિગતો મુજબ શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે તમામ બાકી મુદ્દાઓ પર વ્યાપક અને પરિણામલક્ષી વાતચીત માટે તૈયાર છે. જોકે તેમણે પાકિસ્તાનની સિદ્ધાંતોવાળી નીતિ પુનરાવર્તિત કરતાં એ પણ સ્પષ્ટ કર્યું કે, કાશ્મીર મુદ્દો હજુ પણ પાકિસ્તાન માટે સૌથી મહત્વનો મુદ્દો છે.
ADVERTISEMENT
Shehbaz Sharif cries injustice over Indus Water Treaty abeyance, no mention of Pak efforts to counter terrorism
— ANI Digital (@ani_digital) September 26, 2025
Read @ANI Story | https://t.co/RyCe8bWviN#ShehbazSharif #IndusWaterTreaty #Pakistan #India pic.twitter.com/GeJ9GF9bsl
શરીફે કહ્યું કે, આ મારી સૌથી નિષ્ઠાવાન અને ગંભીર અપીલ છે. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંવાદ માટે તૈયાર છે. આપણે 2003માં જે વ્યાપક સંવાદ શરૂ કર્યો હતો, તે પુનઃ શરુ થવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે, જનરલ પરવેઝ મુશર્રફના સમયમાં શરૂ થયેલી આ પ્રક્રિયામાં કુલ આઠ મુદ્દાઓ પર ચર્ચા થતી હતી. પણ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના પગલે આ પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને ત્યાર પછી થી હજુ સુધી પુનઃ શરૂ થઈ નથી. પાકિસ્તાની વડાપ્રધાને કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારો માટે તેમનાં સાથે ઊભું છે. તેમણે ઉમેર્યું કે, કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ જનમત સંગ્રહ દ્વારા આત્મનિર્ણયનો અધિકાર મળવો જોઈએ.
ADVERTISEMENT

આ પણ વાંચો : નાઈજીરીયાના ઝામફારામાં સોનાની ખાણ ધસી પડી, 100થી વધુ કામદારોના મોત
ADVERTISEMENT
સિંધુ જળ સંધિ પર પણ તીવ્ર વાંધો
શરીફે તેમના સંબોધનમાં ભારત દ્વારા સિંધુ જળ સંધિ પર લેવાયેલ પગલાંઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના પરિણામે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું જે પગલું ભર્યું તે અનૌપચારિક યુદ્ધ સમાન છે. શાહબાઝ શરીફે જણાવ્યું કે, સિંધુ જળ સંધિ જેવી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંધિનો ભંગ શાંતિ માટે ખતરનાક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.