બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'એક સમયે હું બ્રાયન લારાનો ચાહક હતો, આજે..', ત્રિનિદાદ અને ટોબેગોમાં બોલ્યા PM મોદી

સંબોધન / 'એક સમયે હું બ્રાયન લારાનો ચાહક હતો, આજે..', ત્રિનિદાદ અને ટોબેગોમાં બોલ્યા PM મોદી

Nidhi Panchal

Last Updated: 07:29 AM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગાના પ્રવાસે છે, જ્યાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કરી તેમના યોગદાનની પ્રશંસા કરી. આ અવસરે તેમણે બિહારના વારસાનું વૈશ્વિક ગૌરવ તરીકે વર્ણન કર્યું.

PM નરેન્દ્ર મોદી હાલમાં ત્રિનિદાદ અને ટોબેગોના બે દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પોર્ટ ઓફ સ્પેન સ્થિત નેશનલ સાયકલિંગ વેલોડ્રોમ ખાતે આયોજિત સમુદાય કાર્યક્રમમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. PM મોદીએ ત્રિનિદાદમાં વસેલા ભારતીય મૂળના લોકોના ઇતિહાસ અને યોગદાનની સરાહના કરતા કહ્યું કે તેમના પૂર્વજો હિંમત અને આશાથી ભરેલી યાત્રા સાથે અહીં આવ્યા હતા.

PM-modi

શું કહ્યું PM મોદીએ?

PM મોદીએ કહ્યું કે, "તમારા પૂર્વજોએ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. ગંગા-યમુનાને પાછળ છોડીને તેઓ રામાયણને હ્રદયમાં લઈને આવ્યા હતા. તેઓ માત્ર સ્થળાંતર કરનારા ન હતા, પરંતુ ભારતીય સંસ્કૃતિના સંદેશવાહક હતા." તેમણે ઉમેર્યું કે અહીં હાજર ઘણા લોકોના પૂર્વજો બિહારથી આવ્યા છે અને બિહાર માત્ર ભારતના નહિ, પરંતુ સમગ્ર વિશ્વના ગૌરવનું પ્રતિક છે.

લોકપ્રિય ક્રિકેટરનો પણ ઉલ્લેખ કર્યો

PM મોદીએ ત્રિનિદાદના લોકપ્રિય ક્રિકેટર લારા, નારાયણ અને નિકોલસનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા સમય સાથે વધુ મજબૂત બની છે. PMએ યાદ અપાવ્યું કે રામ મંદિર માટે ત્રિનિદાદમાંથી પવિત્ર જળ અને પથ્થરો મોકલવામાં આવ્યા હતા. આ પ્રસંગે PM મોદીએ અયોધ્યાના રામ મંદિરની એક પ્રતિકૃતિ અને સરયુ નદીનું પવિત્ર જળ ત્રિનિદાદ લાવવાનું ગૌરવ પણ વ્યક્ત કર્યું.

PM મોદીની વિશેષ જાહેરાત

આ પ્રસંગે PM મોદીએ એક વિશેષ જાહેરાત પણ કરી. તેમણે જણાવ્યું કે ત્રિનિદાદમાં રહેલા ભારતીય મૂળના લોકોને હવે OCI કાર્ડ આપવામાં આવશે, ભલે તે છઠ્ઠી પેઢીના વંશજો કેમ ન હોય. "તમે ફક્ત લોહીથી નહિ, સંબંધોથી જોડાયેલા છો. ભારત તમારું સ્વાગત કરે છે," એમ PM મોદીએ ઉમેર્યું. PM મોદીએ આગળ જણાવ્યું કે ભારત હવે અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. “જલ્દી જ એક ભારતીય ચંદ્ર પર પહોંચી જશે અને ભારતનું પોતાનું અવકાશ મથક પણ હશે. આપણે હવે તારાઓની ગણતરી કરતા નથી, પરંતુ તેમની પાસે જઇ રહ્યા છીએ.”

app promo2

આ પણ વાંચો : સીઝફાયરનો ભંગ! ઈરાન-ઈઝરાયલ વચ્ચે ગમે ત્યારે શરૂ થશે યુદ્ધનો બીજો રાઉન્ડ

આ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ ત્રિનિદાદના લોકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કર્યું અને તેમની ભારતીય ઓળખ, સંસ્કૃતિ અને વિશ્વ પાયે યોગદાન માટે તેમનો અભિમાન વ્યક્ત કર્યો. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાના સંકેતો પણ મળ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trinidad and Tobago PM Modi Indian diaspora,
Nidhi Panchal
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ