બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCIનું મોટું એલાન, જુઓ ટીમ ઇન્ડિયામાં વિરાટનું સ્થાન કોને મળ્યું?

સ્પોર્ટ્સ / BCCIનું મોટું એલાન, જુઓ ટીમ ઇન્ડિયામાં વિરાટનું સ્થાન કોને મળ્યું?

Bijal Vyas

Last Updated: 05:50 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શનિવાર, 6 જૂનના રોજ ભારતીય ક્રિકેટ માટે વ્યસ્ત દિવસ હતો. દિવસની શરૂઆત મુલ્લાનપુરમાં ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચથી થઈ. બપોરે, BCCI એ આગામી T20 સીરિઝ અને એશિયન ગેમ્સ માટે ટીમોની જાહેરાત કરી.

આજે શનિવાર, 6 જૂનના રોજ ભારતીય ક્રિકેટ માટે વ્યસ્ત દિવસ હતો. દિવસની શરૂઆત મુલ્લાનપુરમાં ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચથી થઈ. બપોરે, BCCI એ આગામી T20 સીરિઝ અને એશિયન ગેમ્સ માટે ટીમોની જાહેરાત કરી. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ અને ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી મુખ્ય ચર્ચાના મુદ્દાઓ રહ્યા. આ બધા વચ્ચે, બોર્ડે અફઘાનિસ્તાન સામેની ODI સીરિઝમાં ફેરફારની પણ જાહેરાત કરી, જેમાં યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલને ઇજાગ્રસ્ત વિરાટ કોહલીની જગ્યાએ તક આપવામાં આવી છે.

જયસ્વાલની ફરી ટીમમાં એન્ટ્રી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચના પહેલા દિવસે, યશસ્વી જયસ્વાલ વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં અને રમતના પહેલા કલાકમાં જ આઉટ થઈ ગયો. જોકે, આ નિરાશા ટૂંક સમયમાં દૂર થઇને સારા સમાચાર મળ્યા જેનાથી તેનો ઉત્સાહ વધ્યો. જ્યારે મુંબઈમાં BCCI હેડક્વાટર્સમાં ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ ખુલાસો કર્યો કે જયસ્વાલ અફઘાનિસ્તાન સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે.

Virat Kohli

શરૂઆતમાં જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, આ નિર્ણયથી તે સમયે પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, IPL 2026 ની ફાઇનલમાં બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીને અચાનક ઈજા થઈ હતી, તેની હેમસ્ટ્રિંગમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેની ભાગીદારી પર શંકા ઉભી થઈ હતી. રિપોર્ટ આવી છે કે તે ODI સીરિઝમાં રમી શકશે નહીં. આખરે BCCI એ આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે વિરાટ 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચની સીરિઝમાં ભાગ નહીં લે. જયસ્વાલે ડિસેમ્બર 2025 માં દક્ષિણ આફ્રિકા સામે તેની છેલ્લી ODI રમી હતી, જે દરમિયાન તેણે સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડ સીરિઝમાં રમશે કોહલી?

પરંતુ શું વિરાટ કોહલી પણ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ODI સીરિઝ નહીં રમી શકે? આ ત્રણ મેચની ODI સીરિઝ જુલાઈમાં પાંચ મેચની T20 સીરિઝ પછી યોજાવાની છે. BCCI પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આશા વ્યક્ત કરી કે કોહલી ઇંગ્લેન્ડ સીરિઝ માટે ફિટ થઈ જશે. અગરકરે કહ્યું, "IPL ફાઇનલ દરમિયાન તેને ઈજા થયાને માત્ર એક અઠવાડિયું થયું છે. મને (રિકવરી માટે) ટાઇમલાઇનની જાણકારી નથી, પરંતુ એવું લાગે છે કે, તે ઇંગ્લેન્ડ ODI સીરિઝ માટે ફિટ થઈ જશે."

આ પણ વાંચોઃ ''અભી વો બચ્ચા હૈ...'', વૈભવ સૂર્યવંશીના સિલેક્શન પર અગરકરે આવું કેમ કહ્યું?

ભારતની ODI સ્કોવ્ડ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, બ્રહ્મ કૃષ્ણ, પ્રિન્સ બ્રહ્મેશ, બ્રહ્મેશ યાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yashasvi Jaiswal replaces Virat Kohli ODI squad IND vs AFG
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ