બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના કરુણ મોત, બે સગા ભાઈઓ પણ સામેલ
Last Updated: 07:26 PM, 6 June 2026
અંબાજી તાલુકામાં શનિવારે દુઃખદ ઘટના સામે આવી છે. રિછડી ગામના તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ADVERTISEMENT
બાળકો રિછડી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા
મળતી માહિતી મુજબ, ત્રણેય બાળકો રિછડી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. દરમિયાન તળાવ ઊંડું હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. બાળકો લાંબા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોને શંકા જતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ત્રણેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ અને સ્થાનિક તંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અધિકારીઓના ડ્રેસમાં આવેલા લોકોએ કર્યું ડિમોલિશન, સ્થાનિકોમાં ભારે ગૂંચવણ
મૃતકોમાં બે બાળકો સગા ભાઈઓ
ADVERTISEMENT
મૃતક બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, મૃતકોમાં બે બાળકો સગા ભાઈઓ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ કરુણ ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT