બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 AM, 4 July 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો બીજો તબક્કો ગમે ત્યારે શરૂ થઈ શકે છે . આ વખતે હુમલો ઈઝરાયલ નહીં પણ ઈરાન કરી શકે છે . ઈરાન દ્વારા આ હુમલાનું કારણ ઈરાની શહેરોમાં છેલ્લા 6 દિવસથી સતત થઈ રહેલા વિસ્ફોટો હશે . રિપોર્ટ અનુસાર, ઈરાન ઈઝરાયલ પર હુમલો કરી શકે છે.
ADVERTISEMENT
ઈરાનના બુશેહરમાં આકાશમાં કેટલીક વસ્તુઓ સતત દેખાઈ રહી છે . આ પછી, ઈરાની સંરક્ષણ પ્રણાલી સક્રિય થઈ ગઈ . હવાઈ સંરક્ષણ વિભાગે અનેક ઇન્ટરસેપ્ટર મિસાઈલો છોડી છે . તેવી જ રીતે, તેહરાનમાં પણ વિસ્ફોટોના અહેવાલો મળ્યા છે . વિસ્ફોટને કારણે રહેણાંક વિસ્તારમાં એક ઇમારતમાં પણ આગ લાગી છે . યુદ્ધવિરામ છતાં,આવા હુમલાઓ સતત થઈ રહ્યા છે . જોકે, ઈરાન દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી . જોકે, એવું માનવામાં આવે છે કે ઈરાન તરફથી આ મૌન મોટા તોફાનનો સંકેત છે . ઈરાન તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કહીને ગમે ત્યારે ઈઝરાયલ પર મોટો હુમલો કરી શકે છે .
વિશ્વની ઘણી ગુપ્તચર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગમે ત્યારે ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે છે . છેલ્લા યુદ્ધમાંથી શીખીને, ઈરાન રશિયા અને ચીનની મદદથી પોતાની નબળાઈઓ દૂર કરી રહ્યું છે . તે આ બે દેશોની મદદથી પોતાની લશ્કરી તાકાત પણ વધારી રહ્યું છે . ઈરાની સેનાની થોડી નબળાઈઓ દૂર થતાં જ ઈરાન ઈઝરાયલ પર હુમલો કરી શકે છે અને આ સાથે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો બીજો રાઉન્ડ શરૂ થઇ શકે છે.
ADVERTISEMENT
ઇરાને પોતાની નબળાઇઓને ઓળખીને દુર કરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના 12 દિવસના યુદ્ધમાં , ઈરાની સેનાને તેની ઘણી નબળાઈઓ વિશે ખબર પડી . પહેલી નબળાઈ હવાઈ સંરક્ષણની હતી , બીજી હવાઈ યુદ્ધની હતી, એટલે કે ઈરાની વાયુસેના ઈઝરાયલી વાયુસેના કરતા નબળી સાબિત થઈ . ત્રીજી નબળાઈ એ હતી કે ઈરાનના રડાર એટલા સક્ષમ નહોતા જેટલા હોવા જોઈએ . આ જ કારણ છે કે ઈઝરાયલના મોટાભાગના હવાઈ હુમલાઓ સંપૂર્ણપણે સફળ થયા . હવે ઈરાની સેનાએ પોતાની ખામીઓ અને નબળાઈઓને દૂર કરી છે. ઈરાને ચીન પાસેથી 40 J-10 ફાઈટર પ્લેન ખરીદ્યા છે અને તેને પોતાની વાયુસેનાને આપ્યા છે . આ રીતે, ઈરાન હવાઈ યુદ્ધની દ્રષ્ટિએ મજબૂત બન્યું છે . તેમણે ચીન પાસેથી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ મંગાવી છે એટલું જ નહીં , તેમને તૈનાત પણ કર્યા છે . એટલું જ નહીં , રશિયાની મદદથી ઈરાને પોતાના રડાર સ્ટેશનને પણ અપગ્રેડ કર્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બ્રહ્મોસ મિસાઈલના હુમલાથી પાકિસ્તાનને લાગ્યો હતો ડર, PM શાહબાઝના સલાહકારની કબૂલાત
ADVERTISEMENT
ઈરાનના નવા ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મૌસાવીએ કહ્યું કે જો લશ્કરી કાર્યવાહીની જરૂર પડશે તો તે પહેલા કરતા વધુ શક્તિશાળી અને વિનાશક હશે . જો ઈઝરાયલ ફરીથી હુમલો કરશે તો અમારો જવાબ ખૂબ જ ખતરનાક હશે . ધમકીઓ અને તૈયારીઓ વચ્ચે, ઈરાને 4 જુલાઈ સુધી તેના પશ્ચિમી અને મધ્ય હવાઈ ક્ષેત્રને બંધ કરી દીધું છે. ઈરાનના આ નિર્ણય પછી, ફરીથી યુદ્ધનો ભણકારા સંભળાઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT