બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / સ્પોર્ટસ / Cricket / Will Team India go into the next Test series with a new coach, will Rahul Dravid be let go? Decision in hands of BCCI
Pravin Joshi
Last Updated: 07:58 PM, 25 July 2023
ભારતીય ક્રિકેટ ટીમે અપેક્ષા મુજબ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી ન હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની બંને ટેસ્ટ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સંપૂર્ણ પોઈન્ટ મેળવવા ઈચ્છતી હતી પરંતુ વરસાદના કારણે મેચ ડ્રો કરવાની ફરજ પડી હતી. ભારત લાંબા સમયથી કોઈ ICC ટ્રોફી જીતી શક્યું નથી અને ઘરઆંગણે યોજાતો ODI વર્લ્ડ કપ કેપ્ટન રોહિત શર્મા કરતા કોચ રાહુલ દ્રવિડ માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.ભારત હાલમાં કેરેબિયન પ્રવાસ પર છે જ્યાં ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી જીત મેળવી છે. હવે ઈરાદો વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનો રહેશે. ICC ODI વર્લ્ડ કપ પહેલા દરેક ODI સિરીઝને ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતનો ક્લીન સ્વીપ બીજી ટેસ્ટના અંતિમ દિવસે વરસાદના કારણે રોકાઈ ગયો હતો. ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. કોચ રાહુલ દ્રવિડ માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી બાદ હવે ભારતીય ટીમે વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાનું છે. આ પ્રવાસ ICC ODI વર્લ્ડ કપ પછી યોજાનાર છે અને ટુર્નામેન્ટના પરિણામ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું ભવિષ્ય નક્કી કરશે.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડના કાર્યકાળ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય ટીમ તેમના કોચિંગ હેઠળ કોઈ મોટી શ્રેણી જીતી શકી નથી, તેનાથી વિપરીત ટીમને એશિયા કપ અને ICC T20 વર્લ્ડ કપમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી ભારત 1 ACC અને 2 ICC ટૂર્નામેન્ટમાં રમ્યું છે, જેમાં તે નિરાશ થયું હતું. ભારત એશિયા કપના પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગયું હતું. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર થઇ હતી જ્યારે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ હારી ગયું હતું.
રાહુલ દ્રવિડના કાર્યકાળમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન દ્વિપક્ષીય શ્રેણીમાં સારું રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ 10 T20 સિરીઝ, 6 ODI અને 4 ટેસ્ટ સિરીઝ જીતી છે. ટીમને મલ્ટી-કંટ્રી ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રોફી મેળવવાથી ચૂકી ગઈ હતી.
ICC ODI વર્લ્ડ કપ રાહુલ દ્રવિડ માટે લિટમસ ટેસ્ટ બની રહ્યો છે. અહીં જો ટીમ ઈન્ડિયાને ટ્રોફી નહીં મળે તો તેમના માટે ટીમના કોચ તરીકે રહેવું મુશ્કેલ થઈ જશે. વર્લ્ડ કપ પછી મુખ્ય કોચ તરીકેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને તેમના વિસ્તરણનો આધાર ભારતના ટાઇટલ જીતવા પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime