બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 AM, 9 July 2025
10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયન અને ખેડૂત સંગઠનોએ 9 જૂલાઈ 2025ના રોજ ભારત બંધનું એલાનવ જાહેર કર્યું છે.આ બંધ કેન્દ્ર સરકારની એ નીતિઓના વિરોધમાં છે. જેમાં મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ સમર્થક માનવામાં આવે છે. જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને અસ્થાયી રોજગાર જેવી નીતિઓ વિરુદ્ધ લગભગ 25 કરોડ લોકો આ વિરોધમાં જોડાઈ શકે છે. પણ શું ભારત બંધના કારણે કાલે સ્કૂલ કોલેજો પણ બંધ રહેશે? તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
જો સ્કુલની કે કોલેજોની વાત કરવામાં આવે તો તે ચાલુ જ રહેવાની છે.શાળા કોલેજમાં આ હળતાડની કોઈ પણ પ્રકારની અસર નહીં થાય.પરંતું જે ST બસના કર્મચારી છે તે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.સાથે જ સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય તેમના બધા કર્મચારી કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.
શાળાઓ, કોલેજો-ઓફિસોનું શું થશે?
ADVERTISEMENT
9 જુલાઈના રોજ શાળાઓ કોલેજો અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની ધારણા છે. જોકે પરિવહન સમસ્યાઓના કારણે કેટલાક ક્ષેત્રોમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ઘણા શહેરોમાં ટ્રેડ યુનિયનો અને સહયોગી જૂથો દ્વારા વિરોધ માર્ચ અને શેરી પ્રદર્શનોને કારણે જાહેર બસો, ટેક્સીઓ અને એપ્લિકેશન-આધારિત કેબ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આનાથી સ્થાનિક મુસાફરી અને લોજિસ્ટિક્સ કામગીરીમાં વિલંબ અથવા રદ થવાની સંભાવના છે.
વધુ વાંચો: શ્વાન એવો ભસ્યો કે શેરીનાં લોકોનાં ચડી ગયા શ્વાસ, પણ તેમની જિંદગી બચી ગઇ
ADVERTISEMENT
ભારત બંધથી આટલી સેવાઓ પ્રભાવિત થાય તેવી શક્યતા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રેડ યુનિયનોનો દાવો છે કે, તેમની ચિંતાઓને સતત અવગણવામાં આવી રહી છે. તેમણે ગયા વર્ષે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17-મુદ્દાની માંગણીઓનો ચાર્ટર સુપરત કર્યો હતો, પરંતુ તેમનું કહેવું છે કે તેનો કોઈ ગંભીર પ્રતિભાવ મળ્યો નથી. યુનિયન ફોરમે કહ્યું કે સરકારે દેશના કલ્યાણ રાજ્યના દરજ્જાને છોડી દીધો છે. તે વિદેશી અને ભારતીય કંપનીઓના હિતમાં કામ કરી રહી છે. આ નીતિઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.