બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને આર્મીના જવાનોની વિધવા અને ખેડુતોનું દેવુ ભરવા માટે આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ અમિતાભ આ માટે એક પરિવારને રૂપિયા એક કરોડની સહાય કરવાની યોજના કરી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યોગ્ય લોકોના હાથમાં જ આ આર્થિક સહાય મળે તે માટે પીઢઅભિનેતાએ પોતાની એક વિશેષ ટીમ તૈયાર કરી છે. આના પરથી બોલીવૂડના અન્ય માંધાતાઓ પણ આ પગલે આગળ વધશે તેવી લોકો આશા રાખી રહ્યા છે
અમિતાભ બચ્ચને આર્મીના જવાનોની વિધવા અને ખેડૂતોનું દેવુ ભરવા માટે પરિવાર દીઠ એક કરોડની સહાય કરવાનો નિર્ણય લીધો છે. આપણે બધા જાણીયે કે ભારતના જવાનો અને ખેડૂતો ભારત માટે ગૌરવ સમાન છે અને આ જ ગૌરવનું બિગ બી કદર કરી રહ્યા છે તે એક સારી વાત છે.