બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / RAC માં અડધી સીટ પણ ભાડું પૂરૂં કેમ? ભારતીય રેલવેએ જણાવ્યું કારણ અને આપ્યા મહત્વના જવાબો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:41 PM, 30 July 2026
1/5
ટ્રેનમાં ટિકિટ બુક કરાવતી વખતે ઘણા મુસાફરોને RAC ટિકિટ મળે છે. આવી સ્થિતિમાં તેમને પૂરી બર્થને બદલે અડધી સીટ પર જ મુસાફરી કરવી પડે છે. મુસાફરોના મનમાં ઊઠતા આ સવાલનો જવાબ તાજેતરમાં ભારતીય રેલવે અને લોકસભામાં રેલ મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે.
2/5
RAC નું પૂરું નામ Reservation Against Cancellation છે. આ વ્યવસ્થા મુસાફરોની સુવિધા માટે જ બનાવવામાં આવી છે. રેલવે અનુસાર, RAC ટિકિટધારકને જે સ્લીપર અથવા એસી કોચની ટિકિટ હોય તેમાં મુસાફરી કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર મળે છે. તેને ટ્રેનમાં વૈધ આરક્ષિત ટિકિટ સાથે મુસાફરી કરવાની પરવાનગી હોય છે અને પ્રવાસ દરમિયાન તેની સીટ કન્ફર્મ થવાની શક્યતા પણ રહેલી હોય છે. જો મુસાફરી દરમિયાન કોઈ કન્ફર્મ ટિકિટધારક રદ કરે અથવા ન આવે, તો તે બર્થ RAC મુસાફરને ફાળવી દેવાય છે. આથી જ આ ટિકિટ પર પૂરું ભાડું વસૂલવામાં આવે છે.
3/5
4/5
રેલવે સતત મુસાફરોની માંગ પર નજર રાખે છે અને જરૂરિયાત મુજબ વધારાના કોચ અને સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે. હોળી, ઉનાળાના વેકેશન, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવીને કરોડો મુસાફરોને સુવિધા આપવામાં આવે છે.
5/5
રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેનો જ નથી ચલાવતી પરંતુ નિયમિત ટ્રેનોમાં પણ કાયમી કોચ ઉમેરી રહી છે. નાણાકીય વર્ષ 2023-24 માં 872 વધારાના કોચ ટ્રેનોમાં કાયમી ધોરણે જોડવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2024-25 માં (ઓક્ટોબર 2024 સુધી) 664 વધારાના કોચ કાયમી ધોરણે લગાવી દેવામાં આવ્યા છે. રેલવેએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જરૂરિયાત મુજબ કોચ વધારવા અને સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું કામ ચાલુ રહેશે જેથી વધુમાં વધુ લોકોને કન્ફર્મ સીટ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ