બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સંસદમાં ઘમાસાન: રાજ્યસભામાં મનુસ્મૃતિ અને RSS ના સિલેબસ પર ખડગે અને નડ્ડા વચ્ચે તીખી બોલાચાલી

નેશનલ / સંસદમાં ઘમાસાન: રાજ્યસભામાં મનુસ્મૃતિ અને RSS ના સિલેબસ પર ખડગે અને નડ્ડા વચ્ચે તીખી બોલાચાલી

Published By: Pravin Joshi

Last Updated: 05:17 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદનું ચોમાસું સત્ર સતત હંગામાપૂર્ણ બની રહ્યું છે. રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આરએસએસ (RSS) અને અભ્યાસક્રમને લગતા નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો હતો.

સંસદનું ચોમાસું સત્ર વિવાદોથી ભરેલું રહ્યું છે, જ્યાં NEET પેપર લીક અને શૈક્ષણિક અભ્યાસક્રમને લઈને તીખી બહેસ જોવા મળી રહી છે. ગુરુવારે રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને કારણે ભારે ધમાલ મચી ગઈ હતી.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

અભ્યાસક્રમમાં ફેરફાર અને તેની સામગ્રી પર સવાલ ઉઠાવતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે, બદલાયેલા સિલેબસમાં એવું પણ આવી રહ્યું છે કે શૂદ્ર જો વેદ પાઠ સાંભળે તો તેના કાનમાં સીસું અને જસત ભરી દેવું જોઈએ, અને વેદ મંત્રોનો ઉચ્ચાર કરે તો તેની જીભ કાપી નાખવી જોઈએ. આ આરએસએસનો સિલેબસ છે. હું આવા વિચારોની નિંદા કરું છું અને આ સામગ્રીને સિલેબસમાંથી હટાવવી જોઈએ. ખડગેના આ નિવેદન બાદ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને માફી માંગવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જે.પી. નડ્ડા અને સુધાંશુ ત્રિવેદીનો પલટવાર

સદનના નેતા જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાએ જે કહ્યું છે તે તથ્યોથી અલગ છે. તેમણે ખડગેને મનુસ્મૃતિનું ઓરિજિનલ ટેક્સ્ટ પ્રમાણિત (Authenticate) કરવા પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે બ્રિટિશ કાળ પહેલાનું મૂળ લખાણ લાવવું જોઈએ. આવા અપ્રમાણિત નિવેદનોથી અશાંતિ ફેલાય છે. ત્યારબાદ સભાપતિએ ખડગેના નિવેદનને રાજ્યસભાના રેકોર્ડમાંથી એક્સપંજ કરવાની જાહેરાત કરી હતી. ચર્ચામાં ભાગ લેતા ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ વિલિયમ જોન્સ (જેમણે 1790 માં મનુસ્મૃતિનો અનુવાદ કર્યો હતો) અને બાબા સાહેબ ડૉ. આંબેડકરના પુસ્તકો 'હૂ વર શૂદ્ર' (Who Were the Shudras?) અને 'ધ અનટચેબલ્સ' (The Untouchables) નો સંદર્ભ આપ્યો હતો. તેમણે કહ્યું કે બાબા સાહેબે લખ્યું છે કે મનુના કાળમાં કોઈ છૂતાછૂત ન હતી. જહાંગીરનામા અને તુજુક-એ-બાબરી જેવા ઐતિહાસિક પુસ્તકોમાં પણ આવા કોઈ નિયમોનો ઉલ્લેખ નથી.

સામે પક્ષે કૉંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ એક પુસ્તક દર્શાવીને કહ્યું હતું કે આ પુસ્તક વર્તમાન સરકારના કાર્યકાળમાં જ છપાયું છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો : રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ! જાણો ક્યાં લેવાયો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે FDAનો મોટો નિર્ણય

152 પેપર લીક અને શિક્ષણ બજેટ પર ઘેરાવ

પોતાના સંબોધનમાં મલ્લિકાર્જુન ખડગેએ પેપર લીકના મુદ્દે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 152 પરીક્ષાઓના પેપર લીક થયા છે, પરંતુ એક પણ દોષિતને સજા થઈ નથી. તેમણે ઉમેર્યું કે શિક્ષણ બજેટમાં 6% ભાગીદારી હોવી જોઈએ, પરંતુ વર્તમાનમાં તે 3% થી પણ ઓછી છે. યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પર આરએસએસ સાથે જોડાયેલા લોકોનો કબ્જો કરાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ParliamentSession MallikarjunKharge RajyaSabha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ